Homeજાણવા જેવુંજાણો ભારતમાં આવેલા એવા ૧૦ સ્થળો વિશે કે જે કારીગરોની વિશિષ્ટ કળાનો...

જાણો ભારતમાં આવેલા એવા ૧૦ સ્થળો વિશે કે જે કારીગરોની વિશિષ્ટ કળાનો એક અનોખો ભાગ છે.

અનન્ય કલાકૃતિઓ અને અનન્ય પેઇન્ટિંગ્સની સાથે ભારતમા કલાના ઘણા સ્વરૂપો છે. ભારતમા કલા ફક્ત માણસો અને કલાકૃતિઓમા જ નહી ઇમારતોમા પણ જોવા મળે છે. ભારતમાં ઘણી ઇમારતો છે જે અનેક કારીગરોની કળાનો નમુનો છે.

૧) લાખો કારીગરોની કળાનો નમૂનો તાજમહેલ :- તાજમહેલ કલાનો એક અનોખો ભાગ છે. શાહજહાએ તાજમહેલ બનાવવાવાળા કારીગરો ના હાથ કાપી નાખ્યા હતા જેથી કોઈ અન્ય આવો તાજમહેલ ન બનાવી શકે. તાજમહેલ એ એક અગત્યનુ પર્યટક આકર્ષણ છે. ઘણા કવિઓએ જે કલ્પના કરી છે તેના કરતા વધુ સુંદર છે. તેની કોતરણી તમને કલાનુ અદભૂત ચિત્ર બતાવશે.

૨) ઇતિહાસની ઝલક બતાવતા કુતુબ મીનાર :- કુતુબ-દ્દીન-દિન એબક દ્વારા બનાવવામા આવેલ આ મીનારની શરૂઆત ૧૧૯૨ મા થઈ હતી. જો આપણે તેના કારીગરી વિશે વાત કરીએ તો કુતુબ મીનારની કોતરણી અનેક સદીઓના હુમલાઓ અને કુદરતી આફતો પછી પણ દેખાઈ આવે છે. દેશ-વિદેશના લોકો આ મીનાર જોવા આવે છે.

3) કારીગરીનો અનોખો સંગમ અજંતા અને ઈલોરાની ગુફા :- અજંતા અને ઈલોરાની ગુફાઓ, ત્યાનુ ચિત્ર કામ અને શિલ્પો એ કલાના અનન્ય નમુના છે. આ શિલ્પો પર્વતોને કોતરીને બનાવવામા આવ્યા છે અને તે ભારતના ચિત્રકામ અને શિલ્પનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

૪) કળાનો નમુનો ગેટવે ઓફ ઈન્ડિયા :- આને ઈન્ડો-ગોથિક સ્ટ્રક્ચર પણ કહેવામા આવે છે. તેનુ નિર્માણ ૧૯૨૪ મા થયુ હતુ અને ૧૯૧૧ થી બની રહ્યુ હતુ. તે કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરીના મુંબઇ આગમનના સ્મરણાર્થે બનાવવામા આવ્યુ હતુ.

૫) ઇન્ડો-ઇસ્લામિક કળા બતાવતા ચાર મીનાર :– ચારમિનાર હૈદરાબાદ શહેર માટે એટલુ જ મહત્વ ધરાવે છે જેટલુ આગ્રા માટે તાજમહેલ ધરાવે. ૧૫૯૧ મા બનેલ આ મીનાર વિશેષ છે કારણ કે તે આ વિસ્તારમા પ્લેગના ઉપદ્રવના નાશનુ પ્રતિક છે. તેનુ સ્થાપત્ય ભારત-ઇસ્લામિક શૈલી ઢળેલુ છે.

૬) હવા મહેલ કૃષ્ણના મુકુટ જેવો બાંધવામા આવ્યો :- ૧૭૯૯ મા બંધાયેલ આ મહેલ ૯૫૩ બારીઓની સાથે રાજપૂતાણા કલા અને કારીગરીનો સાથેનો એક અનોખો ભાગ છે. તે જયપુર શહેરમા મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે અને તેના આંતરિક ભાગને એવા બનાવવામા આવ્યા છે કે કોઈને મહેલમા ઉપર જવા માટે સીડીની જરૂર પડતી નથી.

૭) કમળ જેવુ દેખાતુ લોટસ ટેમ્પલ :- તે દિલ્હી શહેરનું એક અગત્યનું પર્યટન સ્થળ છે અને દરેક ધર્મ અને વિવિધ જાતિના લોકો અહી પ્રાર્થના કરવા માટે આવી શકે છે. અહીં કોઈ મૂર્તિ નથી.

૮) મૈસુર પેલેસ અને આર્ટ :- મૈસુર પેલેસ જે ૧૯૧૨ મા તૈયાર કરવામા આવ્યો હતો તેમા વોદેયાર સામ્રાજ્યની કલા અને દ્રષ્ટિ બતાવવામા આવી છે. આ મહેલ ચારે બાજુથી સુંદર કલાકૃતિઓથી ઘેરાયેલ છે. તે ભારતના શ્રેષ્ઠ પ્રવાસીઓમાંનુ એક આકર્ષણ છે.

૯) ખજુરાહો પોતાનામા શ્રેષ્ઠ છે :- ખજુરાહો ખૂબ જ સુંદર મંદિર છે. પરંતુ અહી કોઈની પૂજા કરવામા આવતી નથી. તે વિશેષ પ્રકારની મૂર્તિઓનું પ્રતીક છે. આ મંદિર ભૂતકાળના મંતવ્યો દર્શાવે છે જે સહવાસ સાથે જોડાયેલ હતા.

૧૦) કોર્ણાકનુ સૂર્ય મંદિર :- ભગવાન સૂર્યને સમર્પિત કોણાર્ક મંદિર ૧૩ મી સદીમા બનાવવામા આવ્યુ હતુ. તેને કલાનો એક અનોખો ભાગ ગણવામા આવે છે. તે ઓરીયન આર્કિટેક્ચર ઉપર આધારિત છે. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમા સ્થાન મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments