જીવન જીવવા અને જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસાના અભાવે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે, જે માનસિક સમસ્યાઓનું કારણ બને છે. તેથી, ધન અને સંપત્તિની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની કૃપાથી ધન સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, મા લક્ષ્મીનો વાસ તેના ઘરમાં કાયમી રહે. પરંતુ કેટલાક કારણોને લીધે પૈસા સંબંધિત સમસ્યાઓ આવે છે. તેથી તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહે. તો જાણો ક્યાં કર્યો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે…
શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ કહેવામાં છે. શુક્રવારે માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી તે પ્રસન્ન થાય છે. તેથી જો તમને પૈસા સંબંધિત સમસ્યા છે. તો શુક્રવારે તમારે ઉપવાસ કરવો જોઈએ. દેવી લક્ષ્મીની ખીરમાં કેસર નાખી તેનો ભોગ ધરાવવો અને વિધિ પૂર્વક તેમની પૂજા કરવી. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને તમારી મનોકામના પુરી કરે છે.
સનાતન ધર્મમાં મહિલાઓને માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે. તેથી, જે ઘરમાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે, તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ જે ઘરોમાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે. ત્યાંથી માતા લક્ષ્મી ગુસ્સે થને જતા રહે છે. તેથી મહિલાઓનું સન્માન કરવું જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ ભૌતિક સુખ સુવિધાનું એક પરિબળ છે. તેથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોવું જરૂરી છે. શુક્રની નબળી સ્થિતિને કારણે તમને ધન સંબંધિત સમસ્યાઓ થાય છે. શુક્ર ગ્રહને મજબુત બનાવવા માટે ઘરમાં મોરના પીંછા રાખવા જોઈએ.
જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો પણ ઘરમાં ધનનો સંચય થતો નથી અથવા ધન સંબધિત સમસ્યાઓ થાય છે. તેથી વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે કોઈપણ વાસ્તુ શાસ્ત્રી પાસેથી સલાહ લેવી જોઈએ. ઘરની છત પર કચરો રાખવો ન જોઈએ.