Homeસ્ટોરીઆ યુવતીએ લંડનની નોકરી છોડી શરૂ કરી ખેતી, ગામના અનેક ખેડૂતોને ખેતી...

આ યુવતીએ લંડનની નોકરી છોડી શરૂ કરી ખેતી, ગામના અનેક ખેડૂતોને ખેતી વિષે આપી રહી છે તાલીમ…

આગ્રાની રહેવાસી “નેહા ભાટિયા”એ વર્ષ 2014 માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી  માસ્ટર ડિગ્રી મેળવી હતી. નેહાએ તેનો અભ્યાસ પૂરો કર્યા બાદ જ લંડનમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી અને તે પછી તેણી પોતાના દેશ ભારતમાં પરત આવી. વર્ષ 2017 માં, તેણે ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી અને આજે તે ત્રણ જગ્યાએ ખેતી કરી રહી છે. ખેતી કરીને નેહા વર્ષે 60 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ સાથે, તે ઘણા ખેડુતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ પણ આપે છે.

31 વર્ષીય નેહા એક વ્યવસાયિક પરિવારની યુવતી છે. નેહા કહે છે, ‘મેં ઘણાં સમય પહેલા જ નિર્ણય લીધો હતો કે મારે ધંધો કરવો છે પરંતુ માત્ર પૈસા કમાવવા નહીં, પણ સામાજને તેનો ફાયદો મળે. તેનાથી લોકોને ફાયદો થવો જોઈએ. જો કે તે સમયે તેણે ખેતી કરવાનું વિચાર્યું ન હતું.’

દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, નેહા એક સામાજિક સંસ્થામાં જોડાણી. તેણે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં શિક્ષણ, આરોગ્ય જેવી સમસ્યાઓ પર કામ કર્યું. ત્યારબાદ તે 2012 માં લંડન ગઈ હતી. જ્યારે તે 2015 માં લંડનથી પરત આવી ત્યારે તે ફરીથી એક સામાજિક સંસ્થામાં જોડાણી અને તેમાં લગભગ બે વર્ષ સુધી કામ કર્યું.

નેહા ઘણા ગામોમાં ગઈ અને લોકોને મળી અને લોકોની સમસ્યાઓને સમજી. નેહા કહે છે કે, લોકોની સૌથી મોટી સમસ્યા હેલ્ધી ફૂડ્સની હતી. માત્ર શહેર જ નહીં પરંતુ ગામના લોકોને પણ યોગ્ય ખોરાક નથી મળી રહ્યો. આવી સ્થિતિમાં, નેહાએ વર્ષ 2016 માં ક્લીન ઇટીંગ મૂવમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી, જેથી લોકોને યોગ્ય અને શુદ્ધ ખોરાક મળી શકે. તેના વિશે નેહાએ સંશોધન કરવાનું પણ શરૂ કર્યું, તે ઘણા નિષ્ણાતોને મળી. બધાએ કહ્યું કે જો યોગ્ય ખોરાક લેવો હોય તો યોગ્ય રીતે પાકને ઉગાડવો જોઈએ. જો અનાજ અને શાકભાજીને રાસાયણિક ખાતર દ્વારા પકવવામાં આવે, તો પછી તેમાંથી બનાવેલ ખોરાક પણ યોગ્ય હોતો નથી.

આવી સ્થિતિમાં નેહાએ ઓર્ગેનિક ખેતી શરૂ કરવાની યોજના બનાવી. પરંતુ તેને ખેતીની મૂળભૂત જાણકારી પણ નહોતી. ખેતી શરૂ કરતા પહેલા, તેમણે કેટલાક ગામોની મુલાકાત લીધી અને 6-7 મહિના સુધી ખેતીકાર્ય વિશે પૂછપરછ કરી. આ પછી તેણે નોઇડામાં તેની બે એકર જમીનમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી. ખેતી દરમિયાનનો નેહાનો પ્રારંભિક સમય નિરાશાજનક હતો, પરંતુ બીજી વખત ખેતીમાંથી તેને સારી ઉપજ થઈ. આ પછી, તે પોતાના ઓર્ગેનિક ઉત્પાદનોને જાતે જ બજારમાં લઈ ગઈ અને લોકોને આ ઉત્પાદનોના ફાયદાઓ સમજાવ્યા.

નેહા કહે છે કે, થોડા દિવસો પછી તેને સારો પ્રતિસાદ મળવાનું શરૂ થયું. તેણે નોઇડા પછી મુઝફ્ફરનગર અને ભીમતાલમાં પણ ઓર્ગેનિક ખેતી શરૂ કરી. નેહા હાલમાં 15 એકર જમીનમાં શાકભાજી અને ઓર્ગેનિક ઔષધિઓનું વાવેતર કરી રહી છે. તેની ટીમમાં કુલ 20 લોકો કામ કરે છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં ખેડૂતો તેમની સાથે જોડાયા છે અને ઓર્ગેનિક ખેતીની તાલીમ લઈ રહ્યા છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments