Homeજયોતિષ શાસ્ત્રઆંગળીઓની રચના દ્વારા વ્યક્તિના સ્વભાવને કેવી રીતે જાણી શકાય છે.

આંગળીઓની રચના દ્વારા વ્યક્તિના સ્વભાવને કેવી રીતે જાણી શકાય છે.

હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વ્યક્તિની હથેળી પર દોરાયેલી રેખાઓ, નિશાન અને રચનાથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની બાબતો જાણી શકાય છે. માત્ર હથેળીની રેખાઓથી જ નહિ ,પરંતુ આંગળીઓના આકાર અને રચનાથી પણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે.

1- તમારી હથેળીને બંધ કરીને જુવો આંગળીઓ કઈ રીતે વળે છે. જો બધી આંગળીઓ જુદી જુદી રીતે વળતી હોય, તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ શાંત છે. હસ્તરેખાશાસ્ત્ર મુજબ, હથેળી પર આવી આંગળીઓ તમારા માટે સારી માનવામાં આવે છે.

2- જો બધી આંગળીઓ સીધી હોય, તો આવી વ્યક્તિ શાંત સ્વભાવની હોય છે. જો બધી આંગળીઓ હથેળીની વચ્ચેની તરફ વળતી હોય, તો તેમનામાં સારા ગુણો અને સારી લાક્ષણિકતાઓ હોય છે.

3- જો ત્રીજી આંગળી સીધી અને લાંબી હોય તો તે વ્યક્તિ પૈસા કમાવવામાં ખૂબ ભાગ્યશાળી હોય છે.

4 – જે વ્યક્તિની આંગળીઓ અંગૂઠા તરફ વળેલી હોય તો તેવા વ્યક્તિ અભિમાની હોતા નથી. જ્યારે બધી આંગળીઓ વચ્ચેની આંગળી તરફ વળે તો તે વ્યક્તિ શાંત મનનું હોય છે.

5- જ્યારે વચ્ચેની આંગળી પેહલી આંગળી તરફ વળે તો તે વ્યક્તિ ગંભીર સ્વભાવની હોય છે. આવા વ્યક્તિ કોઈ પણ કાર્ય ખૂબ વિચારીને કરે છે. આવી વ્યક્તિ અભિમાની હોતા નથી .

6- જે વ્યક્તિની હથેળીમાં ચોથી આંગળી ત્રીજી આંગળી તરફ વળેલી હોય તો તે ખૂબ જ સ્વાર્થી હોય છે. પરંતુ જો ચોથી આંગળી બહારની તરફ વળેલી હોય, તો તે વ્યક્તિ બેદરકાર હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments