Homeધાર્મિકદેવી દુર્ગાના અસ્ત્ર-શસ્ત્રોની આ પૌરાણિક માહિતી વિષે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત.

દેવી દુર્ગાના અસ્ત્ર-શસ્ત્રોની આ પૌરાણિક માહિતી વિષે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત.

માતા નવ દુર્ગાને પાપોની વિનાશિની કહેવામાં આવે છે. બધા જ દેવીઓના અલગ-અલગ અસ્ત્ર-શસ્ત્ર હોય છે, પરંતુ આ બધા દેવીઓ માતા આદિ શક્તિના જ વિવિધ સ્વરૂપો છે. દુર્ગા સપ્તશતીમાં કહેવામાં આવ્યું છે કે, દેવીઓને દેવતાઓએ તેમના અસ્ત્ર-શસ્ત્ર આપ્યા હતા જેથી દેવીઓ અસુરો સાથેના સંઘર્ષો પર વિજય પ્રાપ્ત કરી શકે અને ધર્મ હંમેશા સ્થાપિત રહે અને અધર્મનો નાશ થાય. દેવીના સર્વાધીક અર્થાત અઢાર હાથ તેના મહાલક્ષ્મી સ્વરૂપમાં જોવા મળે છે. આ સ્વરૂપનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે-

“ॐ અક્ષસ્ત્રક્પરશું ગદેશુકુલિશ પદ્મ ધનુષકુણ્ડિકાં
દંડ શક્તિમસિં ચ જલઘં ઘન્ટાં સુરાભાજનમ્.
શુલાં પાશસુદર્શન ચ દધધિં હસ્તૈ: પ્રસન્નાન્
સેવે સૈરીભમર્દિનીમિહ મહાલક્ષ્મી સરોજસ્થિતાં.”

તેનો અર્થ છે- “હું કમળના આસન પર બેઠેલી મહિષાસુરમર્દિની ભગવતી મહા લક્ષ્મીની પૂજા કરું છું, જે તેના હાથમાં અક્ષમલા, ફરસા, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ, કુંડિકા, દંડ, શક્તિ, ખડ્ગ, ઢાલ, શંખ, ઘંટ, મધુપાત્રા, શૂલ, લૂપ અને ચક્ર ધારણ કરે છે.”

આમાંના ઘણા મોટા દિવ્યાસ્ત્ર વિવિધ દેવો દ્વારા દેવીને અર્પણ કરવામાં આવ્યા હતા. દુર્ગા દેવીએ તેના જમણા હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું છે. એવું કહેવામાં આવે છે કે, આ ત્રિશૂળ ભોળાનાથે તેના શુલમાંથી કાઢી અને માતા દુર્ગાને સોંપ્યું હતું.

માતાને શક્તિ દિવ્યાસ્ત્ર અગ્નિદેવએ આપ્યું હતું. જયારે મહિષાસુરા સહિત ઘણા રાક્ષસો, હાથી, ઘોડાઓની સેના અને ચતુરંગીણી સૈન્ય યુદ્ધ કરવા માટે આવ્યા હતા ત્યારે માતા તેમની આ શક્તિથી તેને હરાવી દેતા હતા. આ શક્તિ દ્વારા જ માતાએ મહિષાસુર સહિત અનેક સૈન્યનો વધ કર્યો હતો. માતાએ ચક્રનો ઉપયોગ રક્તબીજ અને અન્ય રાક્ષસોને મારવા માટે કર્યો હતો. ભક્તોની રક્ષા કરવા માટે, માતાને આ ચક્ર લક્ષ્મીપતિ ભગવાન “વિષ્ણુ” દ્વારા આપવામાં આવ્યું હતું.

ધરતી, આકાશ અને પાતાળ, ત્રણેય લોકને પોતાની ધ્વનિથી કંપિત કરનાર શંખ, જ્યારે યુદ્ધ મેદાનમાં વગાડવામાં આવે છે ત્યારે દૈત્યો, અસુરો અને રાક્ષસોની સેના ભયભીત થઈ જતી હતી. તેઓ ડરથી ધ્રુજવા લાગતા હતા. દેવીને આ શંખ વરુણદેવે ભેટમાં આપ્યો હતો.

જ્યારે ત્રણેય લોકના રાક્ષસો અને દાનવો દેવી દુર્ગા સામે શસ્ત્ર લઇને યુદ્ધ કરવા આવ્યા ત્યારે દેવીએ ધનુષ તીરના પ્રહારથી એક સાથે સમગ્ર સૈન્યનો નાશ કર્યો. પવન દેવ દ્વારા આ ધનુષ્ય બાણ દેવી દુર્ગાને આપવામાં આવ્યું હતું.

ભગવાન ઈન્દ્રએ માતાને એરાવત હાથીના ગળામાંથી એક ઘંટ ઉતારીને આપ્યો હતો, જે ઘંટના અવાજથી અનેક અસુરો અને રાક્ષસો મૂર્છિત થઈ જતા હતા. આ ઉપરાંત ઇન્દ્રએ તેના વજ્રમાંથી બીજુ વજ્ર ઉત્પ્ન્ન કરી માતાને આપ્યું હતું.

ચંડ-મુંડનો નાશ કરવા માટે, માતાએ મહાકાળીનું  વિરાટસ્વરૂપનું ધારણ કર્યું હતું, નરમુંડોની માળા, ક્રોધનો આખો ચહેરો કાળો, જીભ બહાર કાઢેલી, આ સ્વરૂપ એક વિચિત્ર હતું. આ યુદ્ધ તલવાર અને ફરસેથી લડવામાં આવ્યું હતું. ચંડ-મુંડ રાક્ષસોને મારી નાખ્યા. માતાને આ તલવાર વિશ્વકર્માએ ભેટમાં આપી હતી.

આદિ શક્તિનો વાસ બ્રહ્માંડના દરેક કણોમાં રહે છે. શક્તિ દેશ, સમય, ધર્મ, જાતિ, સમાજ, લિંગ, ભાષા, ચલ, વગેરે બધાથી આગળ છે. આપણે આપણા રોજિંદા કાર્યમાં જે પણ કરીએ, તેને શક્તિની આરાધના માનવી અને આપણા બધા સાધનનો ઉપયોગ દેવી શક્તિની જેમ જ કરવો જોઈએ. એટલે કે, જો આપણે સચ્ચાઈ, ન્યાય અને પ્રામાણિકતા સાથે માનવતાના ધર્મ માટે જીવીશું, તો જ માતા આપણી ભક્તિથી પ્રસન્ન થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments