Homeજીવન શૈલીજાણો, સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ અને નિયમો...

જાણો, સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ અને નિયમો…

દરેક શુભ કાર્ય, પછી ભલે તે પૂજા-પાઠ હોય, કોઈ સાંસ્કૃતિક ઉત્સવ હોય કે તહેવાર બધાની શરૂઆત દીપ પ્રાગટ્યથી જ થાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, અગ્નિ એ પૃથ્વી પરના સૂર્યનું બદલાયેલું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષીએ કરવામાં આવેલ કાર્ય સફળ થાય છે. પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક પણ છે, ‘ઈશ્વર’ દરેક જગ્યાએ પ્રકાશ અને જ્ઞાનના રૂપમાં જ છે. જ્ઞાનની પ્રાપ્તિ સાથે અજ્ઞાનની માનસિક વિકાર દૂર થાય છે, જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. તેથી, પ્રકાશની પૂજાને ભગવાનની પૂજા પણ માનવામાં આવે છે.

અગ્નિ પુરાણ અનુસાર, જે વ્યક્તિ એક વર્ષ સુધી કોઈ મંદિર અથવા બ્રાહ્મણના ઘરે દીવો કરે છે, તેને બધું જ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિ ચતુર્માસ, અધિકમાસ અથવા અધિકમાસની પૂર્ણિમાના દિવસે મંદિર અથવા પવિત્ર નદીના કિનારે દીવો કરે છે તેને વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યાં સુધી દીવો બળતો હોય ત્યાં સુધી ભગવાન પોતે ત્યાં હાજર હોય છે, તેથી ત્યાં માંગેલી ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે.

દીવાથી આપણને જીવનમાં ઉર્ધ્વગામી રહેવાની, ઉંચાઈએ ચઢવાની અને અંધકારને દૂર કરવાની પ્રેરણા મળે છે. આ સિવાય, દીપકથી બધા પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય અને સુખમાં વધારો થાય છે. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જંતુઓથી શુદ્ધ થઈ જાય છે. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાનો હેતુ એ છે કે, ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનતાના અંધકારને દૂર કરે અને જ્ઞાનરૂપી પ્રકાશ આપે.

કોઈપણ પૂજા કે તહેવાર પર ઘી અથવા તેલનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, પરિવારના સભ્યોને પ્રસિદ્ધિ મળે છે. વાસ્તુના નિયમો અનુસાર દીવાને પૂજાસ્થળના અગ્નિ ખૂણામાં રાખવો જોઈએ, આ દિશામાં દીવો રાખવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું નિવાસસ્થાન રહે છે.

દીવોની જ્યોત વિશે, એવું માનવામાં આવે છે કે, જ્યોતને ઉત્તર દીશા તરફ રાખવાથી આરોગ્ય અને પ્રસન્નતા વધે છે, જ્યોતને પૂર્વ દિશા તરફ રાખવાથી આયુષ્ય વધે છે.

ધ્યાનમાં રાખો કે, જો માટીના કોડીયામાં દીવો પ્રગટાવો છો, તો કોડિયું સ્વચ્છ હોવો જોઈએ. તૂટેલા કોડિયામાં દીવો કરવો એ પૂજા માટે અશુભ અને પ્રતિબંધિત માનવામાં આવે છે.

દીવો પ્રગટાવવા વિશે એવું કહેવામાં આવે છે કે, સમાન (બેકી) સંખ્યામાં દિવા પ્રગટાવવાથી ઉર્જાનો સંચાર નિષ્ક્રિય થઈ જાય છે, જ્યારે વિષમ (એકી) સંખ્યામાં દીવા પ્રગટાવવાથી વાતાવરણમાં હકારાત્મક ઉર્જા ઉત્પ્ન્ન થાય છે આજ કારણથી ધાર્મિક કાર્યો હંમેશા વિષમ (એકી) સંખ્યામાં દીવા પ્રગટાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments