Homeજયોતિષ શાસ્ત્રવાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં આવો અરીસો રાખવાથી થાય છે લાભ.

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં આવો અરીસો રાખવાથી થાય છે લાભ.

રીસો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલ પર એવી રીતે લગાવવો જોઈએ કે અરીસા સામે જોતા વ્યક્તિનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોય. કારણ કે દક્ષિણ અથવા પશ્ચિમ દિશાની દિવાલો પર લગાવેલો અરીસો વિરુદ્ધ દિશાઓમાંથી આવતી ઉર્જાને પ્રતિબિંબિત કરે છે.

અરીસોએ આપણી રોજીંદી જરૂરિયાત છે. ઘણા લોકો સવારે ઉઠેને પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોવે છે. પરંતુ તૈયાર થાવા સિવાય પણ, અરીસો આપણા જીવનને ઘણી રીતે અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો અરીસો ઘરમાં યોગ્ય દિશામાં મૂકવામાં ન આવે તો તે આપણા જીવન પર પણ નકારાત્મક અસર કરે છે.

બેડરૂમમાં દરવાજાની સામે અરીસો મૂકવો શુભ માનવામાં આવે છે. અરીસો કદમાં મોટો હોવો જોઈએ પરંતુ વજનમાં હલકો હોવો જોઈએ.

પરંતુ એવું ન થવું જોઈએ કે એક કરતા વધુ અરીસા ભેગા કરીને એક મોટા કાચની જેમ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. જે વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી.

અરીસો તૂટેલો, અસ્પષ્ટ અથવા ખરાબ ન હોવો જોઈએ અને તેમાં કોઈ પ્રતિબિંબ, ઊંચ-નીચ ન હોવી જોઈએ.

આપણો ચહેરો બરાબર ન દેખાતો હોય તેવો અરીસો જે ‘આભા’ પર અસર કરે છે. આવા અરીસાને લાંબા ગાળા સુધી ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

અરીસો આપણે સુતા હોઈએ ત્યાં ન રાખવો જોઈએ અથવા સુતા પહેલા અરીસાને કપડા કે પડદાથી ઢાંકી દેવો જોઈએ.

આપણા ચહેરાને જોવા માટે જો ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે, તો તે ખૂબ જ ફાયદાકારક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments