Homeજયોતિષ શાસ્ત્રશું તમારા ઘરમાં કીડીઓ નીકળે છે, તો જાણો તે શુભ સંકેત છે...

શું તમારા ઘરમાં કીડીઓ નીકળે છે, તો જાણો તે શુભ સંકેત છે કે અશુભ…

જો તમારા ઘરમાં ખુબ જ કીડીઓ નીકળતી હોય, તો આ તમારા જીવનમાં કંઇક બનવાની નિશાની છે. ઘરોમાં કીડીઓ નીકળે એ એવી કોઈ બાબત નથી જેને આપણે સામાન્ય બાબત માનીએ છીએ, પરંતુ આ ખૂબ જ મોટી ઘટના વિષે સૂચવે છે. કીડીઓ ઘરમાં ઉપર અથવા નીચેની તરફ આગળ વધી રહી છે. આ સિવાય, તમારા ઘરમાં નીકળતી કીડીઓને ખાવાનું મળે છે કે નહીં, આવી ઘણી બાબતોને ધ્યનમાં રાખવી જોઈએ.

કાળી કીડી :- જો તમારા ઘરમાં કાળી કીડીઓ નીકળે છે, તો તમને ટૂંક સમયમાં સુખ અને ધન થવાનું છે. કાળી  કીડીઓ સામાન્ય રીતે ઘરમાં ચાલતી જોવા મળે છે. ઘણી વખત લોકો કાળી કીડીઓને ખાંડ, લોટ જેવા ખોરાક ખવડાવે છે. કાળી કીડીઓને ખવડાવવું શુભ માનવામાં આવે છે. જો કીડીઓ ચોખામાં ચડી જાય તો, તેને શુભ માનવામાં આવે છે.

જો તમારા ઘરમાં કાળી કીડીઓ નીકળે છે તો, તમને થોડા દિવસોમાં ધન લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી થાય છે. ભૌતિક સુવિધાયુક્ત વસ્તુઓ માટે કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે.

લાલ કીડી :- જો તમે તમારા ઘરમાં કોઈપણ જગ્યાએ લાલ કીડીઓ નીકળે છે તો સાવચેત રહો. લાલ કીડીઓનું નીકળવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ભવિષ્યમાં મુશ્કેલીઓ, વિવાદો અને ધન ખર્ચ જેવી સમસ્યાઓ આવે છે.

જો તમારા ઘરમાં લાલ કીડીઓ નીકળે છે, તો તમારી સાથે કંઈક અશુભ થઈ શકે છે. પરંતુ જો લાલ કીડીઓ મોંમાં ઇંડા લઈને ઘરમાંથી બહાર જતી હોય, તો તે એક શુભ સંકેત છે. કીડીઓને ખોરાક ખવડાવવો જોઈએ. જો કીડી તમારા ઘરમાં ભૂખી હોય, તો તમારા ઘરમાં અશુભ થઈ શકે છે.

જો કીડીઓ તમારા ઘરમાં ચોક્કસ કોઈ દિશાઓમાંથી આવે છે, તો તે તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે. ખરેખર કાળી કીડી તમારા ઘરમાં ઉત્તર દિશામાંથી આવે છે, તો તે તમારા માટે શુભ સંકેત છે. જો દક્ષિણ દિશાથી આવે છે, તો તે પણ ફાયદાકારક છે. જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે, તો તમારા ઘરમાં સકારાત્મક માહિતી આવી શકે છે. જો કીડીઓ પશ્ચિમ દિશામાંથી આવે છે, તો તમારે બહાર પ્રવાસ કરવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments