Homeઅજબ-ગજબઘરમાં વાવો આ એક છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા...

ઘરમાં વાવો આ એક છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા…

વિશ્વની દરેક વસ્તુ ઉર્જા સાથે જોડાયેલ છે અને આપણી આસપાસ રહેલી ઉર્જાની અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક છોડનું મહત્વ અલગ છે. કેટલાક છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

તો પછી કેટલાક છોડ એવા પણ હોય છે જેનાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી થતી. પૈસા માટે મોટાભાગના લોકો મની પ્લાન્ટ વિશે જાણે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં પૈસા મેળવવા માટે એક છોડ વિશે જણાવવામાં આવ્યું છે. તેને ક્રાસુલાનો છોડ કહેવામાં આવે છે.

તેનું પૂરું નામ ક્રાસુલા ઓવાટા છે. તે જેડ ટ્રી, ફ્રેન્ડશીપ ટ્રી, લકી ટ્રી અને મની ટ્રી તરીકે પણ ઓળખાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ક્રાસુલાના છોડને સંપત્તિનો છોડ પણ કહેવામાં આવે છે. ક્રાસુલાના છોડને ઉગાડવા માટેની એક યોગ્ય દિશા છે કારણ કે ખોટી દિશામાં વાવેલો આ છોડ પૈસાની જગ્યાએ ખોટનું કારણ પણ બની શકે છે.

ક્રાસુલાના પાંદડા જાડા હોય છે અને ખૂબ નરમ પણ હોય છે. આ છોડ ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેના પાન આછા લીલા અને આછા પીળા રંગના હોય છે. આ છોડને વધુ સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી. તે છાયામાં પણ વધે છે. વસંત ઋતુમાં તેમાં નાના નાના સફેદ અથવા ગુલાબી ફૂલો ખીલે છે જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.

ક્રાસુલાનો છોડ પણ જોવામાં સુંદર લાગે છે. તેના પાંદડા ખૂબ જ મજબૂત અને લવચીક હોય છે. તેથી, જ્યારે તેને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે તે તૂટી જતું નથી અથવા વળતું નથી. ક્રાસુલાના છોડને ખૂબ કાળજીની જરૂર હોતી નથી. તમે તેને તમારા ઘરમાં સરળતાથી રોપી શકો.

આ છોડ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે તે ઝડપથી સૂકાતો નથી. અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેને પાણી આપવું જરૂરી છે. આ છોડ વધુ જગ્યા રોકતો નથી તેથી તેને નાના વાસણમાં અથવા કુંડામાં પણ વાવી શકાય છે. તેને છાયામાં પણ રોપી શકાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્રાસુલાનો છોડ વાવતી વખતે દિશાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ છોડ ઘરના પ્રવેશદ્વારની જમણી બાજુ જ વાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્રાસુલાનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારે છે. એવું માનવામાં આવે છે કે આ છોડને રાખવાથી ઘરમાં ધન વધે છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ સંપત્તિને ઘર તરફ ખેંચી લાવે છે. જો તમારા ઘરમાં પૈસા નથી રહેતા, તો તમારે ક્રાસુલાનો છોડ જરૂર વાવવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments