Homeસ્ટોરીહિન્દુ પિતાના મુસ્લિમ પુત્રો, જરૂર વાંચજો…

હિન્દુ પિતાના મુસ્લિમ પુત્રો, જરૂર વાંચજો…

ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એક ભીખુ કુરેશી રહેતા. તેમના મિત્રનું નામ ભાનુશંકર પંડ્યા હતું. બંનેની મિત્રતા આજથી લગભગ 40 વર્ષ પહેલા થઈ હતી. જીવનની ગાડી આગળ વધી. બંનેનો સમય સરખો નહોતો. ભીખુનો પોતાનો પરિવાર, પત્ની અને ત્રણ પુત્રો હતા. ભાનુને પોતાનું કોઈ નહોતું.

બંનેની મિત્રતા ખૂબ ગાઢ હતી. સંપૂર્ણપણે કુટુંબ અને બંને મિત્રોએ એકબીજા સાથે રમતાં રમતાં ઉંમર કાપી નાખી. થોડા વર્ષો પહેલા, વૃદ્ધ ભાનુનો પગ તૂટી ગયો હતો. તેનો કોઈ પરિવાર ન હોવાથી ભીખુએ તેને પોતાના ઘરે બોલાવ્યો, નહીંતર તેની સારસંભાળ કોણ રાખત? ભાનુશંકર હવે ભીખુના ઘરે રહેવા લાગ્યો. અહીં આખો પરિવાર તેની સંભાળ રાખતો હતો.

ભીખુના ત્રણ પુત્રોના નામ અબુ, નસીર અને ઝુબેર કુરેશી છે. તમામ રોજીરોટી કમાવવા વાળા મજૂર છે. પાંચ સમયની નમાઝ કરનાર અને દૃઢ આસ્તિક જેવા સામાન્ય માણસ છે. ભીખુના ઘરમાં ભાનુ અજાણ્યું નહોતું. તે ત્રણેય પુત્રોના કાકા હતા. તેઓ પહેલેથી જ નજીક હતા, પરંતુ હવે તેઓ ઘરના વડીલ બની ગયા હતા. ભાનુ માટે મિત્રોનો આ પરિવાર હવે તેની દુનિયા હતી. સ્વાભાવિક છે કે ભાનુ ઘરના વડીલ હતા અને ઘરના બાળકોના દાદા હતા. પરિવાર ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરતા અને દાદા સૌને ખીલવા માટે આશીર્વાદ આપતા.

બંને વડીલોની ઉમર પૂરી થવા આવી હતી એટલે પછી એ જ વિધી નું વિધાન. એક દિવસ ભીખુ મિયાંની ટિકિટ કપાઈ અને નીકળી ગયા અલ્લાહ ના ઘરે. હવે ભાનુશંકર એકલા પડી ગયા. મિત્રના ગયા પછી ભાનુ ગુમસૂમ રહેવા લાગ્યો.

ભીખુને મર્યા ત્રણ વર્ષ વીતી ગયા. એક દિવસ ભગવાનના દરબારમાંથી પણ ભાનુશંકરનુ તેડું આવ્યું . તેમણે છેલ્લી શ્વાસ લેવાનું શરૂ કર્યું. પરિવારે સાંભળ્યું હતું કે હિંદુઓને છેલ્લી ઘડીએ ગંગાજળ પીવડાવવામાં આવે છે. તેઓ ભાગી ને પાડોશી પાસેથી ગંગાજળ મંગાવ્યું અને છેલ્લી ઘડીએ તેણે ભાનુશંકરના મોંમાં ગંગાજળ રેડ્યું જેથી કાકાને મુક્તિ મળે.

મૃત્યુ પછી જ્યારે ગામલોકો એકઠા થયા, ત્યારે ભાઈઓએ કહ્યું કે અમે કાકાના અંતિમ સંસ્કાર હિંદુ કાયદા પ્રમાણે કરવા માંગીએ છીએ, કારણ કે તેઓ હિન્દુ હતા. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું કે, ખબોઆપવા(કાંધોઆપવા) અને અગ્નિદાહ આપવા માટે જનોઈ ધારણ કરવી જરૂરી છે. ત્રણેય ભાઈઓએ કહ્યું કે તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જેમ પુત્રો પિતા માટે કરે છે.

પાંચ વખતના નમાજી મુસ્લિમના જનેઉ સંસ્કાર ક્યાર થી ચાલુ થયા? પણ તેઓ જનોઈ પહેરવા તૈયાર હોય તો રોકે કોણ ?

ત્રણેય ભાઈઓએ જનોઈ અને ધોતી પહેરી અને હિંદુ વિધિ પ્રમાણે તેમના બ્રાહ્મણ કાકાના અંતિમ સંસ્કાર કર્યા. નસીરના પુત્રએ ભાનુશંકરને અગ્નિદાહ આપ્યો. આખા 13 દિવસ સુધી તમામ પરંપરાગત વિધિઓ કરવામાં આવી, ત્રણેય ભાઈઓએ માથું મુંડન કરાવ્યું, દાન આપ્યું, જે કંઈ થઈ શકે બની શકે તે કર્યું .

આમ કરવાથી ન તો ભાનુશંકર પંડ્યાનો ધર્મ ભ્રષ્ટ થયો ન તો ભીખુ કુરેશીનો ઈસ્લામ ખતરામાં આવ્યો. હવે બાળકોને ખાતરી છે કે અબ્બુ ને જન્નત નસીબ થયું હશે અને કાકાના આત્માને મોક્ષ મળ્યો હશે. નફરત એ રાજકારણનો ધંધો છે. દુનિયા મોહબ્બત થી ચાલે છે.

સૌજન્યઃ અજ્ઞાત ( આ વાર્તા વોટ્સએપ્પ દ્વારા મળી હતી અને લેખકનું નામ ના હોવાના કારણે લખી શકાયુ નથી.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments