બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ સામાન્ય છે. એક ઉંમર પછી મોટાભાગના લોકોને બ્લડ પ્રેશર ઘટવું- વધવુંની સમસ્યા થવા લાગે છે. અચાનક બ્લડ પ્રેશર વઘવા-ઘટવાથી ઘણાં લોકો ગભરાય જાય છે. જરૂરી નથી કે બ્લડ પ્રેશર અસંતુલિત થતા જ તમે દવાઓ લો કેટલાક ઘરેલુ ઉપાય અઝમાવીને પણ તમે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો, પરંતુ તેના માટે તમને ખબર હોવી જોઈએ કે બ્લડ પ્રેશર ઓછું થવા પર અને બ્લડ પ્રેશર વધવા પર કયા ઉપાય કરવા લાભદાયી હોય છે. આ માટે અષ્ટાંગ આયુર્વેદ કોલેજની મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરીથી જાણીએ બ્લડ પ્રેશર ઘટવા પર કયા ઉપાયોને આઝમાવવાથી બ્લડ પ્રેશરનું સ્તર થઈ જાય છે સામાન્ય…
તુલસી અને મધ
તુલસીના પાનને તમે આમ પણ ખાઈ શકો છો પરંતુ જો તમે તાત્કિલક ફાયદા ઈચ્છો તો થોડાક તુલસીના પાનનું જ્યૂસ નીકાળી લો. તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો. તુલસીમાં હાજર વિટામીન સી, મેગ્નીશિયમ, પોટેશિયમ વગેરે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. એટલા માટે જેવી જ ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર થોડું પણ ઓછું થઈ રહ્યું હોય તો તુરંત આ ઉપાય અપનાવવી શકાય છે.
બીટ
બીટનું જ્યૂસ બ્લડ પ્રેશર ઓછું અથવા વધવું બંન્ને જ સ્થિતિમાં પી શકાય છે તો આમ તો બ્લડ પ્રેશર ઓછું હોવા પર તમે તેનું સેવન કરો અને જો તમને સમજમાં નથી આવી રહ્યું કે બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે તો પણ તમે તેનું સેવન અવશ્ય કરો. આ ફાયદા આપશે. ઓછું બ્લડ પ્રેશરવાળાએ દિવસમાં એકવાર તો બીટનું જ્યૂસ અવશ્ય પીવું જોઈએ.
ગાજર અને મધ
બ્લડ પ્રેશર ઓછું હોય છે તો કોશિશ કરો કે દરરોજ તમે મધ વાળા ગાજરનું જ્યૂસ લો. સવારે ઉઠતા જ જો તમે તે જ્યૂસનું સેવન કરી લેશો તો બ્લડ પ્રેશરનું સંતુલન દિવસભર બની રહેશે. તેનું દિવસમાં એકથી વધું વાર પણ સેવન કરી શકાય છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તેનું સેવન ખાલી પેટ જ હોય.