‘હવન’ વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા ઉપરાંત, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હવનના ધુમાડાથી સંજીવની શક્તિનો સંચાર થાય છે. ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે કે, હવન દ્વારા રોગોથી મુક્તિ મેળવી શકાય છે.
હવન માટે શુદ્ધતાની જરૂર પડે છે જેથી આરોગ્યની સાથે તેની આધ્યાત્મિક શુદ્ધતા પણ જળવાઈ રહે. હવન કરતા પહેલા સ્વચ્છતાની કાળજી લેવી જોઈએ. હવન કરવા માટે આંબાનું લાકડું, વેલો, લીમડો, કાલીગંજ, દેવદાર, ગુલમહોરની છાલ અને પાન, પીપરની છાલ, બોરડી, ચંદનનું લાકડું, તલ, અશ્વગંધા, તમાલ એટલે કે કપૂર, લવિંગ, ચોખા, બેહેડા અને હરડે, ઘી, સાકર, જવ, ગૂગળ, લોબાન, એલચી અને અન્ય વનસ્પતિનો ઉપયોગી છે.
હવન માટે ગાયના છાણમાંથી બનાવેલા છાણાં અને ઘી નાખવામાં આવે છે. હવન કરવાથી 94 પ્રકારના જીવાણુંઓ નાશ પામે છે, તેથી ઘરની શુદ્ધતા અને આરોગ્ય માટે હવન કરવો જોઇએ.
હવન સાથે કોઈ મંત્રનો જાપ કરવાથી સકારાત્મક ધ્વનિ પ્રાપ્ત થાય છે, શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. આથી હવન કરતી વખતે કોઈપણ મંત્ર બોલવો છે.
હવનમાં મોટાભાગે આંબાના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે જ્યારે આંબાના લાકડાને બાળવામાં આવે છે ત્યારે તેમાંથી એક ફાયદાકારક વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુને દૂર કરે છે. અને તેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે. ગોળને બાળવાથી પણ આ ગેસ ઉત્પન્ન થાય છે.
અન્ય સંશોધન મુજબ જો કોઈ અડધો કલાક સુધી હવનના ધૂમાડામાં બેસે તો આ ધુમાડો શરીરના સંપર્કમાં આવવાથી ટાઇફોઇડ જેવા જીવલેણ રોગોના બેક્ટેરિયાઓ નાશ પામે છે અને શરીર શુદ્ધ બને છે.