ભારતે દુનિયાને એવી સાત વસ્તુઓ આપી જેમાંથી કેટલીક બાબત જાણીને તમને આશ્ચર્ય થશે.એમાંથી કેટલીક તો ભારતમાંથી દુનિયામાં પહોંચી, જ્યારે કેટલીક વસ્તુઓની શોધ ભારતમાં જન્મેલા સંશોધકોએ કરી જેના વિના આજે દુનિયાનું કામકાજ ઠપ્પ થઈ જાય. ભારત વિશ્વમાં તેની સંસ્કૃતિ, રહેણીકરણી અને વિવિધતાઓ માટે ચર્ચાતું રહ્યું છે. આ દેશમાં ઘણી ખ્યાતનામ પ્રતિભાઓએ જન્મ લીધો છે.
૧) શેમ્પૂ :- શેમ્પૂથી વાળ ધોયા બાદ અલગ જ અનુભવ થાય છે. સુગંધ, ચમક અને આત્મવિશ્વાસને સરળતાથી અનુભવી શકાય છે. શેમ્પૂ વિના નહાવાને એવી રીતે મૂલવવામા આવે છે, જાણે સાંજની ચા, બિસ્કીટ વિના મળી હોય. ભારતમાં ૧૫ મી સદીમા સંખ્યાબંધ છોડના પાન, ફળ અને બીજને એકત્ર કરીને શેમ્પૂ બનાવવામા આવતુ હતુ. બ્રિટિશરોના સમયમા શેમ્પૂ યુરોપમા પહોંચ્યુ હતુ.
૨) ફ્લશ ટોઈલેટ્સ :- પુરાતત્વીય પુરાવાઓથી જાણવા મળે છે કે ફ્લશિંગ ટોઈલેટ્સ સિંધુ ખીણની સંસ્કૃતિમા અસ્તિત્વ ધરાવતા હતા. કાંસ્ય યુગની સંસ્કૃતિનો આ વિસ્તાર બાદમા કાશ્મીર તરીકે ઓળખાયો.અહી સુવ્યવસ્થિત જળાશય અને ગટર વ્યવસ્થા હતા.
૩) યુએસબી પોર્ટ :- યુએસબી એટલે કે યુનિવર્સલ સીરિયલ બસ પોર્ટની શોધથી દુનિયાને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે જોડાણ કરવામાં ખૂબ સરળતા મળી. આ શોધથી વ્યક્તિનુ જીવન પણ બદલાયુ જેણે તેની શોધ કરી તે વ્યક્તિનું નામ અજય ભટ્ટ છે. ૧૯૯૦ના દાયકામાં જ્યારે અજય ભટ્ટ અને તેમની ટીમે જ્યારે આ પ્રકારની ટેકનોલોજી પર કામ કરવાનુ શરૂ કર્યું હતુ અને તે દશકના અંત સુધીમા કમ્પ્યૂટર કનેક્ટિવિટી માટે આ ફિચર સૌથી મહત્વનુ બની ગયુ હતુ.
ભારતમાં જન્મેલા આ સંશોધકને તેમની શોધ બાબતે સાર્વજનિક રીતે ત્યારે ઓળખાણ મળી જ્યારે ૨૦૦૯મા ઈન્ટેલની એક ટેલિવિઝન જાહેરાત પ્રસારિત થઈ. બાદમાં ૨૦૧૩ માં બિન-યુરોપીયન શ્રેણીમાં ભટ્ટને યુરોપિયન ઈન્વેન્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૪) સાપ-સીડી :- કમ્પ્યૂટર ગેમના જમાનામા પણ લોકપ્રિય એવી સાપ-સીડીની રમત ભારતની શોધ મનાય છે. ભારતની આ રમત ઈંગ્લેન્ડમા ઘણી લોકપ્રિય થઈ હતી. આ રમતની ઉત્પતિ હિંદુ બાળકોમા નીતિ અને મૂલ્યોની શિક્ષા આપવા કરાઈ હોવાની માન્યતા છે.
અહી સીડીઓને સદાચાર અને સાપને શેતાનના રૂપે જોવામા આવે છે. ઐતિહાસિક રીતે તેને મોક્ષ સ્વરૂપે પણ જોવામા આવે છે. જેનો સંબંધ વૈકુંઠ એટલે કે સ્વર્ગ સાથે છે. જો કે ૧૯ મી સદીમા બ્રિટીશ શાસન સમયે આ રમતમાંથી નૈતિકતાનો ભાગ હટાવી દેવામા આવ્યો.
૫) ફાઈબર ઓપ્ટિક્સ :- શું તમે એવી દુનિયાની કલ્પના કરી શકો છો જ્યાં તમે મિત્રો સાથે સોશિઅલ મીડિયા કે ઇ-મેઈલથી સંપર્કમાં ન રહી શકો? ઈન્ટરનેટનો જમાનો નહોતો ત્યારે એ સંભવ નહોતું પરંતુ ફાઈબર ઓપ્ટિક્સની શોધ બાદ વેબ, ટ્રાન્સપોર્ટ, સંચાર અને તબીબી ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા.
નરિંદરસિંહ કપાની પંજાબના મોગા ગામમા જન્મેલા એક ભૌતિક વિજ્ઞાની હતા. વિશ્વભરમાં તેમને ફાઈબર ઓપ્ટિક્સના જનક માનવામા આવે છે.૧૯૫૫થી ૧૯૬૫ વચ્ચેના સમયગાળામાં નરિંદરસિંહે સંખ્યાબંધ ટેક્નિકલ પેપર લખ્યા જેમાંનુ એક પેપર ૧૯૬૦ મા સાયન્ટિફિક અમેરિકનમા પ્રકાશિત થયુ.આ પેપરે ફાઈબર ઓપ્ટિક્સને સ્થાપિત થવામા મદદ કરી હતી.
૬) રેડિયો પ્રસારણ :- રેડિયો પ્રસારણના શોધક નોબેલ વિજેતા સંશોધક ગુગ્લીએલ્મો માર્કોની મનાય છે. જો કે ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે તેમના પહેલા મિલીમીટર રેન્જના રેડિયો તરંગ માઈક્રોવેવનો ઉપયોગ બારૂદ સળગાવવા અને સંકેત આપવા માટે ઘંટડી વગાડવા કર્યો હતો. ૧૯૭૮ મા ભૌતિક વિજ્ઞાનનુ નોબેલ જીતનારા સર નેવિલ મોટે કહ્યુ હતુ કે બોઝ તેમના સમયમા સમકાલીન વિજ્ઞાનથી ૬૦ વર્ષ આગળ હતા.
૭) યોગ :- વર્તમાન સમયમા દુનિયાભરમા ભારતના યોગ લોકપ્રિય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો છે.આજે કોઈપણ જીમમા યોગ વિશેષજ્ઞ મળી જશે. કહેવાય છે કે ભારતીય ઈતિહાસના પૂર્વ-વૈદિક કાળથી યોગ પ્રચલિત હતા. તેના મૂળ હિન્દુ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.તંદૂરસ્ત રહેવા માટે ઉપયોગી યોગ હવે વિશ્વભરમા ચલણમા આવ્યા છે.પશ્ચિમમા યોગનો પ્રચાર સ્વામી વિવેકાનંદે પણ કર્યો હતો.