Homeઅજબ-ગજબ1200 વર્ષ જૂના ભારતના આ કિલ્લાના રસપ્રદ તથ્યો વિષે જાણીને થઈ જશો...

1200 વર્ષ જૂના ભારતના આ કિલ્લાના રસપ્રદ તથ્યો વિષે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત…

ભારતમાં ઘણા કિલ્લાઓ છે જે સદીઓ જુના છે. તેમાંનો એક “જિંજી કિલ્લો” છે, જેને જીંજી કિલ્લા અથવા સેંજી કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુડુચેરીમાં સ્થિત આ કિલ્લો દક્ષિણ ભારતનો શ્રેષ્ઠ કિલ્લાઓમાંનો એક છે. આ કિલ્લો નવમી સદીમાં ચોલા રાજવંશો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાની સુંદરતા એ છે કે, તે સાત ટેકરીઓ પર બનાવવામાં આવ્યો છે, જેમાંથી કૃષ્ણગિરી, ચંદ્રગિરી અને રાજાગીરીની ટેકરીઓ પ્રખ્યાત છે. આ કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે છત્રપતિ શિવાજીએ તેને ભારતનો સૌથી ‘અભેદ્ય કિલ્લો’ કહ્યો. અંગ્રેજો આ કિલ્લાને ‘ઇસ્ટ ઓફ ટ્રોય’ કહેતા હતા.

ઉંચી દિવાલોથી ઘેરાયેલો આ કિલ્લો એવી વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યો હતો કે, દુશ્મનો તેના પર આક્રમણ કરતા પહેલા વિચાર કરતા હતા. આ કિલ્લો પહાડો પર સ્થતિ હોવાથી રાજ દરબાર સુધી પહોંચતા બે કલાકનો સમય લાગે છે.

આ કિલ્લો લગભગ 11 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે, જેની દિવાલોની લંબાઇ લગભગ 13 કિલોમીટર છે. આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ રાજગિરિ છે, જેની ટોચ પર એક બહુમાળી કલ્યાણ મહેલ છે. આ સિવાય રાજગિરિ ટેકરીના તળિયે એક મહેલ, અનગર અને ટાંકી પણ છે.

ઘણા શાસકોએ આ કિલ્લા પર શાસન કર્યું છે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મુગલો, કર્ણાટકના નવાબો, ફ્રેન્ચ અને બ્રિટિશરોના નિયંત્રણ હેઠળ હતો. 17 મી સદીમાં શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓ દ્વારા આ કિલ્લાનું પુન પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું.

હાલમાં, આ કિલ્લો તામિલનાડુ પર્યટન ક્ષેત્રમાં એક સૌથી રહસ્યમય સ્થાન છે, જ્યાં દર વર્ષે હજારો લોકો મુલાકાત માટે આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ કિલ્લો જાણીતો છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments