Homeજાણવા જેવુંજાણો આગ્રાના કિલ્લા માં આવેલી સુંદર અને રમણીય ઐતિહાસિક ઈમારતો ના ઈતિહાસ...

જાણો આગ્રાના કિલ્લા માં આવેલી સુંદર અને રમણીય ઐતિહાસિક ઈમારતો ના ઈતિહાસ વિષે.

પર્યટક સ્થળોની સૂચિમા આગ્રા એક આકર્ષક સ્થળ છે. તાજમહલ સિવાય અહી ઘણી ઐતિહાસિક ઇમારતો છે જે પ્રવાસીઓનુ ધ્યાન આકર્ષિત કરે છે. આગ્રામા લાલ કિલ્લો એક એવુ બિલ્ડિંગ છે જે હંમેશા પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. આ ઐતિહાસિક ઇમારત ભારત-ઇસ્લામિક સ્થાપત્યનુ ઉત્તમ ઉદાહરણ છે. તાજમહલની જેમ આ કિલ્લા સાથે ઘણી બધી ઐતિહાસિક કથાઓ જોડાયેલ છે જેનાથી તમે પરિચિત નહી હોવ. આજે અમે તમને આગ્રા કિલ્લાથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને પણ ગમશે.

લોકો સામાન્ય રીતે આગ્રાના કિલ્લાને લાલ કિલ્લો, કિલાઇ-એ-અકબરી તરીકે ઓળખે છે. પરંતુ શું તમે જાણો છો, આ ઉપરાંત તેને બાદલગઢ કિલ્લા તરીકે પણ ઓળખાય છે. જી હા આ ઐતિહાસિક કિલ્લો શરૂઆતમા બાદલગઢ કિલ્લા તરીકે જાણીતો હતો પરંતુ પાછળથી તેનુ નામ બદલીને કિલ્લા-એ-અકબરી અને અગ્રા ફોર્ટ કરી દેવામા આવ્યુ હતુ.

આગ્રાનો કિલ્લો ઘણી મોટી ઐતિહાસિક ઇમારતોથી ઘેરાયેલ છે. આ કિલ્લામા ઘણી મોટી ઐતિહાસિક ઇમારતો છે જેમ કે જહાંગીર મહેલ, ખાસ મહેલ, મુસમ્માન બુર્જ, શીશ મહેલ, નગીના મસ્જિદ જે ખાસ કરીને પ્રવાસીઓને આકર્ષે છે. ‘શીશમહલ’ કિલ્લાની સૌથી આકર્ષક ઈમારત એક ડ્રેસિંગ રૂમ છે. આ બિલ્ડિંગની અંદર નાના અરીસાઓ સુંદર રીતે સજ્જ કરવામા આવેલ છે.

લોકો જાણે છે કે આ મહેલમા અને મહેલથી ફક્ત મોગલ શાસકો જ શાસન કરતા હતા. પરંતુ તે એવુ નથી. આ કિલ્લો ગઝનવી અને લોદી વંશના શાસનનો પણ સાક્ષી રહ્યો છે. આ રાજવંશ પછી બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહા અને ઓરંગઝેબ જેવા મોગલ શાસકોએ આ કિલ્લા ઉપર શાસન કર્યું હતુ. આ કિલ્લાની અંદર અકબરે એવી ઘણી ઇમારતો બનાવી હતી જે પહેલા નહોતી.

કારીગરોનું યોગદાન :- આ કિલ્લો બનાવવા માટે કેટલા કારીગરની જરૂર પાડી હતી તે અંગે કોઈ સત્તાવાર આંકડા નથી, પરંતુ આ કિલ્લાના ઇતિહાસ વિશે કહેવામા આવે છે કે કિલ્લો બનાવવા માટે લગભગ ૪૦૦૦ કારીગરોએ ફાળો આપ્યો હતો.

મૂવી મુગલ-એ-આઝમ :- જો તમે ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ જોઇ હશે તો આ ફિલ્મનું એક પ્રખ્યાત ગીત છે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’. તમારી માહિતી માટે તમને જણાવી દઇએ કે આ ગીત આ કિલ્લામા શૂટ કરવામા આવ્યું છે. ઘણા લોકો હજી પણ આ ગીત ગાય છે.

કિલ્લાનુ બંધારણ :- આ કિલ્લાનુ નિર્માણ હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના મિશ્રણ દ્વારા બનાવવામા આવ્યો હતો. આ કિલ્લો બનાવવા માટે લાલ-રેતીના પત્થરો અને સફેદ આરસનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કિલ્લાની અંદરની દિવાલો ઉપર ડ્રેગન પક્ષી અને બીજી ઘણી વસ્તુઓને ચિત્રના માધ્યમથી દર્શાવામા આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments