Homeજાણવા જેવુંજાણો રાજસ્થાનમાં આવેલ અલવર ના કિલ્લા સાથે જોડાયેલ કેટલાક રહસ્યો વિષે.

જાણો રાજસ્થાનમાં આવેલ અલવર ના કિલ્લા સાથે જોડાયેલ કેટલાક રહસ્યો વિષે.

શહજાદે સલીમને મુગલ બાદશાહ અકબર દ્વારા ૩ વર્ષ માટે દેશનિકાલ કરવામા આવ્યો અને પછી તે અલવરના કિલ્લામા રહ્યો હતો. જાણો આ કિલ્લાને લગતી રસપ્રદ વાતો. અલવર રાજસ્થાનનુ એક ખૂબ જ સુંદર શહેર છે અને તે દિલ્હીની ખૂબ નજીક છે. અલવરમા ઘણી જગ્યાઓ છે જ્યા તમે ચાલવાની મજા લઇ શકો છો. આમા સિલિસેઢ તળાવ, વિનય વિલાસ મહેલ, નંદેશ્વર મંદિર, વિજય મંદિર, ફતેહ જંગનો મકબરો, જયસમંદ તળાવ, કરણી માતા મંદિર, કલાકંદ માર્કેટ, બાયોડિવર્સીટી પાર્ક, નહેરુ ગાર્ડન, અલવર કંપની ગાર્ડનનુ નામ વિશેષ રીતે આપી શકાય છે. ૧૭૯૩ મા બનેલો અલવરનો કિલ્લો આર્કિટેક્ચરનો એક અનોખો ભાગ છે. આ કિલ્લામા કમળ આકારના આંગણા અને સંગ્રહાલયો જોવા માટે ભવ્ય છે. તે મુસી મહારાણી છત્રીની નજીક સ્થિત છે.

રસપ્રદ વાત એ છે કે બાદમા જહાંગીર તરીકે જાણીતા સમ્રાટ અકબરના પુત્ર સલીમને તે જ અલવર કિલ્લામા 3 વર્ષ માટે દેશનિકાલ કરવામા આવ્યો. સલીમને આગ્રાથી દૂર રહેવા માટે કેમ મોકલવામા આવ્યો તે નુ કારણ જાણી શકાયુ નથી પરંતુ આ કિલ્લો તેની સુંદરતાને કારણે હંમેશા ચર્ચામા રહયો છે. રાજપૂત રાજા પ્રતાપસિંહે અહી એક વર્ષ શાસન કર્યું અને અલવરમા વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો.

અલવર કિલ્લાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે લગભગ ૫ કિલોમીટરની ત્રિજ્યામા બાંધવામા આવ્યો છે અને તેની પહોળાઈ લગભગ ૧.૫ કિલોમીટર છે. તે અરવલ્લીની લીલીછમ ટેકરીઓ ઉપર સમુદ્ર સપાટીથી ૧૦૦૦ ફુટની ઉચાઇએ સ્થિત છે. અહીં વિવિધ રાજવંશે શાસન કર્યું હતુ.જેમા ખાનઝાદા, પઠાણ, મોગલ અને જાટ શામેલ છે. આશ્ચર્યજનક રીતે અલવરનો કિલ્લો એ શહેરની સૌથી જૂની ઈમારત છે.

તેને બાલાનો કિલ્લો પણ કહેવામા આવે છે. શહેઝાદે સલીમે અહી ૩ વર્ષ વિતાવ્યા હતા તેથી તેને ‘સલીમ મહેલ’ તરીકે પણ ઓળખવામા આવે છે જો કે તેને બાલાનો કિલ્લો કેમ કહેવામાં આવે છે તે સ્પષ્ટ નથી. આ કિલ્લામા જય પોલ, સૂરજ પોલ, કિશન પોલ, ચાંદ પોલ. લક્ષ્મણ પોલ અને અંધેરી ગેટ જેવા પ્રવેશદ્વારો છે જે ખૂબ સુંદર દેખાય છે.

અહીંની ભારતીય ઇસ્લામિક સ્થાપત્ય કળા બરાબર આકર્ષિત કરે છે. તેમા હિન્દુ ધર્મને સમર્પિત પૂજા સ્થાનો પણ છે. સાથે સાથે જલ મહેલ અને નિકુંભ મહલની સુંદરતા જોઈ શકો છો. આ મહેલમા ૧૫ મોટા અને ૫૧ નાના ટાવર્સ છે જેની ઉંચાઈ લગભગ ૩૪૦ મીટર છે. એટલુ જ નહી ત્યા બંદૂકો ચલાવવા માટે ૪૪૬ જગ્યા છે.

અહી અન્ય બાંધકામો પણ છે અને આ મહેલની અંદરથી પણ યુદ્ધ લડી શકાય છે. પર્યટક તરીકે તમે આ મહેલમા ઘણી આકર્ષક વસ્તુઓનુ અન્વેષણ કરી શકો છો. અહી ઓંક્ટોબરથી માર્ચ સુધી મુલાકાત માટે હવામાન યોગ્ય છે. આવી સ્થિતિમા જો તમારે આ મહેલની મુલાકાત લેવી હોય તો વહેલી તકે અહી આવવાની તૈયારી કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments