હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ગુરુવારનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જેઓ તેમની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે. હિન્દુ શાસ્ત્ર મુજબ ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર કહેવામાં આવે છે. ચાલો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના ત્રણ અવતારોમાં ત્રણ ગુરુઓ પાસેથી શિક્ષા લીધી હતી. તેમણે પોતાના ગુરુ પાસેથી શસ્ત્રો અને હથિયારોની નીતિ સુધી ઘણું શીખ્યા હતા. ચાલો અમે તમને ભગવાન વિષ્ણુની સુદર્શન ચક્ર પ્રાપ્ત કરવાની કથા વિષે કહીશું.
એકવાર રાક્ષસોનો અત્યાચાર ખૂબ જ વધી ગયો હતો, પછી બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને રાક્ષસોનો નાશ કરવાની પ્રાર્થના કરી. રાક્ષસોનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કૈલાસ પર્વત પર ગયા અને ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. તેમણે એક હજાર નામોથી ભગવાન શિવની સ્તુતિ શરૂ કરી. ભગવાન વિષ્ણુ દરેક નામે ભગવાન શિવને એક એક કમળનું ફૂલ ચડાવતા હતા. ત્યારબાદ ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનની પરીક્ષા લેવાનું નક્કી કર્યું,અને વિષ્ણુ ભગવાનના લાવેલા હજાર કમળના ફૂલમાંથી એક કમળનું ફૂલ છુપાવી લીધું.
શંકર ભગવાનની માયાને લીધે વિષ્ણુ ભગવાનને ખબર નો પડી. એક ફૂલ ઓછું હોવાથી ભગવાન વિષ્ણુએ તેની શોધવાનું શરૂ કર્યુ, પણ ફૂલ મળ્યું નહીં. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેની એક આંખ કાઢીને ભગવાન શિવને ફૂલની જગ્યાએ અર્પણ કરી. વિષ્ણુની ભક્તિ જોઈને ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે અદમ્ય શસ્ત્રોનો વરદાન માંગ્યું. ભગવાન શિવએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું. વિષ્ણુએ તે ચક્રથી રાક્ષસોનો વધ કર્યો. આ રીતે, દેવતાઓ રાક્ષસોથી મુક્ત થયા અને સુદર્શન ચક્ર કાયમ માટે તેમના સ્વરૂપ સાથે જોડાઈ ગયું હતું.