Homeઅજબ-ગજબઆ એક એવું ગામ છે કે જ્યાં રહેતા લોકો પોતાની યુવાનીમાં જ...

આ એક એવું ગામ છે કે જ્યાં રહેતા લોકો પોતાની યુવાનીમાં જ વૃદ્ધ થઇ જાય છે અને ચાલવા માટે લાકડી નો ઉપયોગ કરે છે.

આજના સમયમા લોકો પોતાની તંદુરસ્તી માટે વિશેષ કાળજી લે છે જેથી તેઓ લાંબા સમય સુધી જુવાન દેખાઈ શકે. યુવાન દેખાવાની ઇચ્છા ફક્ત સ્ત્રીઓમા જ નહી પુરુષોમા પણ સમાનરૂપે છે. જો તમે ૨૫ વર્ષની ઉંમરે વૃદ્ધ થશો તો શું થશે ? આ સાંભળવામા તદ્દન વિચિત્ર લાગે છે પરંતુ તે વાસ્તવિકતામા થઈ રહ્યુ છે. ખરેખર એક એવુ ગામ છે જ્યા રહેતા લોકો પોતાની યુવાનીમા વૃદ્ધ થઈ રહ્યા છે. આ ગામ તમને આશ્ચર્યચકિત કરશે કારણ કે અહી દરેક આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ખરેખર આ વિચિત્ર ગામ કે જેની આપણે વાત કરી રહ્યા છીએ તે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મુખ્ય મથકથી આશરે ૬૦ કિમી દૂર ભોપાલપટ્ટનમમા સ્થિત છે. મળતી માહિતી મુજબ આ ગામના લોકો માત્ર ૨૫ વર્ષની વયે લાકડીઓ વડે ચાલવા મજબૂર છે અને તેમને જોતા એવુ લાગે છે કે જાણે તેમની ઉંમર ૫૦ થી ૬૦ વર્ષની છે.

આ ગામમા રહેતા ૨૫ થી ૪૦ વર્ષના પુરુષો અને સ્ત્રીઓને નાની ઉંમરે વૃદ્ધાવસ્થાનો સામનો કરવો પડે છે.
ખરેખર આ બનવા પાછળ કોઈ શારીરિક સમસ્યા કે કોઈ પણ પ્રકારની બીમારી જવાબદાર નથી. વૃદ્ધ થવા પાછળ આ ગામની જમીન નીચેથી નીકળતુ પાણી આ લોકોની આવી સ્થિતિ માટે જવાબદાર છે.

ખરેખર હેન્ડપમ્પ્સ અને કુવાઓમાંથી નીકળતા પાણીમા ફ્લોરાઇડનુ પ્રમાણ એટલુ વધારે છે જેના કારણે આ પાણી લાંબા સમય સુધી પીતા લોકોમા અપંગતા આવવા લાગી છે. તેમજ સામાન્ય લોકોની ઉંમરથી ઘણા સમય પહેલા આ લોકોનુ મોત થાય છે. ફક્ત આ ગામ જ નહી પરંતુ આ ગામની આસપાસનો વિસ્તાર પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

ફ્લોરાઇડથી ભરપુર પાણી પીવાને કારણે અહીંના મોટાભાગના લોકો અપંગતા શિકાર બને છે . તેમના શરીરમા અનેક પ્રકારના રોગો જન્મે છે પરંતુ ગરીબી અને વહીવટની બેદરકારીના કારણે આ ગામના લોકો આજે પણ આ ઝેરી પાણી પીવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments