Homeજાણવા જેવુંઆ ગામમાં કોઈ શુભ કાર્ય કરતા પહેલા લોકો શા માટે ચામાચીડિયાની પૂજા...

આ ગામમાં કોઈ શુભ કાર્ય કરતા પહેલા લોકો શા માટે ચામાચીડિયાની પૂજા કરે છે, જાણો તેનું રહસ્ય.

કોરોના વાયરસે આખી દુનિયામા ભયંકર વિનાશ સર્જ્યો છે. રોગચાળો ફેલાયો છે જે અટકવાનુ નામ નથી લેતો. વિશ્વમાં અત્યાર સુધીમા આ રોગને કારણે ૭,૭૦,૦૦૦ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨.૧૫ કરોડથી વધુ છે. તમે એ હકીકતથી સારી રીતે વાકેફ છો કે લોકો આ રોગના ફેલાવાનુ કારણ ચામાચીડિયા છે. પરંતુ તમને જાણીને થોડુ આશ્ચર્ય થશે કે ભારતમા એક એવુ ગામ છે જ્યા લોકો ચામાચીડિયાની પૂજા કરે છે.

આ ગામ સરસઈ છે જે બિહારમા આવેલ છે. આ ગામના લોકોનુ માનવુ છે કે આ ચામાચીડિયા તેમને રોગચાળાથી બચાવે છે. અહી રહેતા લોકોનુ માનવુ છે કે ચામાચીડિયા રહે છે ત્યા પૈસાની કમી ક્યારેય હોતી નથી. ગામ લોકોમા એવી માન્યતા છે કે આ વિસ્તારમાં રહેતા ચામાચીડિયા તેમના આખા ગામની રક્ષા કરે છે.

ગામમા કોઈ શુભ કાર્ય કરતા પહેલા ચામાચિડીયાની પૂજા કરે છે જેથી તમામ કામ સારી રીતે થાય. આ સેંકડો ચામાચીડિયા આ ગામમા તળાવના કાંઠે આવેલા પીપળાના ઝાડની નજીક રહે છે. ગ્રામજનોના દાવા મુજબ જો કોઈ અન્ય વ્યક્તિ રાત્રે આ ગામ આવે તો પછી આ ચામાચીડિયા અવાજ કરવાનુ શરૂ કરી દે છે.

આ ચામાચીડિયા કેટલા સમયથી સરસઈમા રહે છે તે વિશે કોઈને ખબર નથી. પરંતુ એક વાર્તા મુજબ એકવાર મધ્યયુગના કાળમા વૈશાલીમા રોગચાળો ફેલાયો હતો, આ ચામાચીડિયા અહીંથી ઉડાન ભરીને કાયમ માટે અહી સ્થાયી થયા હતા ત્યારથી અહી કોઈ રોગચાળો ફેલાયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments