Homeધાર્મિકજાણો, કેવી રીતે થયો હતો ભગવાન શિવનો જન્મ? કોણ હતા તેમના માતા-પિતા...

જાણો, કેવી રીતે થયો હતો ભગવાન શિવનો જન્મ? કોણ હતા તેમના માતા-પિતા…

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે, સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો, બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવ હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, સોમવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. વેદો અનુસાર ભગવાન અથવા પરમાત્મા અજન્મ, અપ્રગટ, નિરાકાર, નિર્ગુણ અને નિર્વિકાર છે. અજન્મનો અર્થ એ છે કે, જેણે ક્યારેય જન્મ લીધો નથી અને તે ક્યારેય જન્મ લેશે નહીં. અપ્રગટ અર્થાત જે સ્વયંભૂ રીતે  પ્રગટ નથી થયા. નિરાકાર એટલે જેનો કોઈ આકાર નથી, નિર્ગુણ એટલે કે, કોઈ પણ જાતના ગુણ નથી, નિર્વિકારનો અર્થ એ છે કે, જેમાં કોઈ પણ પ્રકારનો દોષ પણ નથી.

હવે સવાલ થાય છે કે, ભગવાન શિવ શું છે? તેનો કોઈપણ રૂપે જન્મ તો થયો જ હશે કારણ કે તેણે તો જ લગ્ન કર્યા હોય. તેથી જ તેમણે અનેક અસૂરોને વરદાન આપ્યા અને ઘણા અસૂરોનો વધ પણ કર્યો. જ્યારે આપણે ‘શિવ’ કહીએ છીએ ત્યારે તે એક નિરાકાર ભગવાન છે અને જ્યારે આપણે ‘સદાશિવ’ કહીએ છીએ ત્યારે એક મહાન ભગવાનની વાત છે.

શિવપુરાણ મુજબ ભગવાન શંકરનો ઉદ્ભવ ભગવાન સદાશિવ અને પરાશક્તિ અંબિકામાંથી થયો છે. અંબિકાને પ્રકૃતિ, સર્વેશ્વરી, ત્રિદેવજનની (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માતા), નિત્યા અને મૂળ કારણ પણ કહેવામાં આવે છે. સદાશિવ દ્વારા પ્રગટ થયેલી તે શક્તિના 8 હાથ છે. પરાશક્તિ જગતજનની દેવી વિવિધ ગતિથી સંપન્ન છે અને અનેક પ્રકારના શસ્ત્ર ધારણ કરે છે. તે શક્તિની દેવી કાલરૂપ સદાશિવની અર્ધાંગિની દુર્ગા છે.

સદાશિવમાંથી માતા દુર્ગા પ્રગટ થયા હતા. કાશીના રમણીય વનમાં એક દિવસ બંનેને કોઈ બીજા પુરુષનું સર્જન કરવાની ઈચ્છા થઈ. અને તે પુરુષને આપણે સૃષ્ટિના સર્જનનો કાર્યભાર સંભાળવા આપીશું. આ માટે તેમણે વામંગ દ્વારા વિષ્ણુને પ્રગટ કર્યા. આમ, વિષ્ણુના પિતા કાલરૂપી સદાશિવ અને માતા પરાશક્તિ દુર્ગા છે. વિષ્ણુ ઉત્પન્ન કર્યા પછી, સદાશિવ અને પરાશક્તિએ બ્રહ્માને તેના જમણા અંગમાંથી ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો અને તરત જ તેમણે વિષ્ણુની નાભિ કમળમાં નાખી દીધી. આમ કમળમાંથી પુત્રના રૂપમાં હિરણ્યગર્ભ (બ્રહ્મા) નો જન્મ થયો હતો. એકવાર બ્રહ્મા અને વિષ્ણુ સર્વોપરિતા માટે લડ્યા, તો વચ્ચે એક કાલરૂપી સ્તંભ આવ્યો.

ત્યારે જ્યોતિર્લિંગ રૂપ કાલે કહ્યું- ‘પુત્રો, તમે બંનેએ તપશ્ચર્યા કરી અને મારી પાસેથી સૃષ્ટિ (જન્મ) અને સ્થિતિ (પાલન) નામના બે કૃત્યો પ્રાપ્ત કર્યા છે. તે જ રીતે, રુદ્ર અને મહેશ્વરએ મારી પાસેથી બે ઉત્તમ કૃત્ય, સંહાર (વિનાશ) અને તિરોભાવ (અકૃત્ય) પ્રાપ્ત કર્યા છે, પરંતુ કૃપા (કૃપા) નામનું કૃત્ય કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. રુદ્ર અને મહેશ્વર બંને તેમનો કૃત્યોને ભૂલ્યા નથી, તેથી મેં તેમના માટે સમાનતા પ્રદાન કરી છે.

સદાશિવ કહે છે- ‘રુદ્ર અને મહેશ મારા જેવા જ વાહન રાખે છે, મારી જેવો જ વેશ ધારણ કરે છે અને તેમની પાસે મારી જેવા જ શસ્ત્રો છે. તેઓ દેખાવ,પહેરવેશ, વાહન, મુદ્રા અને કાર્યમાં મારા જેવા છે. હવે અહીં 7 આત્માઓ છે – બ્રહ્મા (પરમેશ્વર) થી સદાશિવ,  સદાશિવથી દુર્ગા, સદાસિવ-દુર્ગાથી વિષ્ણુ, બ્રહ્મા, રૂદ્ર અને મહેશ્વર. આનાથી એ સાબિત થયું કે, બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને મહેશના જન્મદાતા કાલરૂપી સદાશિવ અને દુર્ગા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments