Homeરસપ્રદ વાતોશું તમે મધ્યપ્રદેશ ના આ મહેલ વિષે જાણો છો કે જ્યાં આજે...

શું તમે મધ્યપ્રદેશ ના આ મહેલ વિષે જાણો છો કે જ્યાં આજે પણ રાજા બાઝ બહાદુર અને રાણી રૂપમતીની લવ સ્ટોરી માટે જાણીતુ છે.

મધ્યપ્રદેશ ભારતનુ એક એવુ રાજ્ય છે જે કુદરતી સૌંદર્ય ઉપરાંત તેની સુંદરતા અને ઇતિહાસ માટે જાણીતુ છે. મધ્યપ્રદેશ રાજ્યનો લગભગ અડધો ભાગ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ છે અને અહી ઘણી ઐતિહાસિક ઇમારતો છે જે રહસ્યથી ભરેલી છે. અહી તમને બહાદુરી અને પ્રેમની વાતો પણ મળશે. આવુ જ એક શહેર છે મધ્યપ્રદેશનુ માંડુ. પ્રખ્યાત ૧૨ દરવાજાવાળા મહેલથી લઈને હરિયાળી સુધી અને બહાદુરીથી લવ સ્ટોરી સુધીનો ઇતિહાસ અહી દેખાય છે.

રાજા અને રાણીની લવ સ્ટોરી :- વિંધ્યાચલ પર્વતમાળા પર સ્થિત માંડુ પોતાની કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ઇમારતો, તેમજ રાજા બાઝ બહાદુર અને રાણી રૂપમતીની લવ સ્ટોરી માટે પણ જાણીતુ છે. એવુ પણ કહી શકાય કે માંડુ રાણી રૂપમતી અને રાજા બાઝ બહાદુરની લવ સ્ટોરીને કારણે દેશ માટે ઐતિહાસિક ધરોહર બની ગયો છે. આજે પણ માંડુની ટેકરીઓમા રાજા અને રાણીનો પ્રેમ ગુંજી ઉઠે છે.

દંતકથા અનુસાર બાઝ બહાદુર માંડુનો અંતિમ સ્વતંત્ર શાસક હતો અને રાણી રૂપમતી ખેડૂત અને માલવાની ગાયિકાની પુત્રી હતી. તેનો અવાજ સાંભળીને બાઝ બહાદુર તેના પ્રેમમા પડી ગયા હતા. રૂપમતીની સુંદરતા અને અવાજના મુરીદ બાઝ બહાદુરે તેને રાણી બનાવવાનો નિર્ણય કર્યો અને માંડુમા તેનો મહેલ બનાવ્યો. પરંતુ સમ્રાટ અકબરની નજર રૂપમતી પર પડી ત્યારે બંનેની લવ સ્ટોરીનો અંત આવ્યો હતો.

અકબરે રાજા બાઝ બહાદુરને એક પત્ર લખ્યો હતો કે રાણી રૂપમતીને દિલ્હીના દરબારમા મોકલવી જોઈએ. રાજા બાઝ બહાદુરે રાણીને મોકલવાનો ઇનકાર કર્યો. પછી અકબરે પોતાનુ સેન્ય ત્યા મોકલ્યુ અને બાઝ બહાદુરને બંધક બનાવી લીધો. રાણીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાનો જીવ છોડવાનો વિચાર કર્યો.

રાણીનુ મૃત્યુ સાંભળીને અકબરને ખૂબ જ ખરાબ લાગ્યુ અને તેણે રાજા બાઝ બહાદુરને છોડી દીધો. પોતાના શહેર પરત પહોંચતા રાજાએ પણ રાણીની સમાધિ પર જઈને પોતાનો જીવ આપી દીધો હતો. આ પછી સમ્રાટ અકબરે વર્ષ ૧૫૬૮ મા સારંગપુર નજીક બે રાજાઓ અને રાણીઓની સમાધિ બનાવી હતી. રાજાની સમાધિ ઉપર અકબરે ‘આશિક-એ-સાદિક’ અને રાણીની સમાધી ઉપર ‘શહીદ-એ-વફા’ લખાવ્યુ હતુ. આ સમાધિ આજે પણ હાજર છે.

રાણીનો કિલ્લો :- રાજાએ રાણી રૂપમતી માટે ૩૫૦૦ ફૂટ ઉચાઈ પર એક કિલ્લો બનાવ્યો હતો. એવુ કહેવામા આવે છે કે રાણી રૂપમતી નર્મદા નદી જોયા વિના ખોરાક લીતી ન હતી. તેથી રાજાએ રાણીનો કિલ્લો આટલી ઉચાઈએ બનાવ્યો. આજે પણ નર્મદા નદી રાણી રૂપમતીના કિલ્લા પરથી જોવા મળે છે. બાઝ બહાદુરએ રાણીનો મહેલ પહેલા પોતાનો મહેલ બનાવ્યો હતો જેથી રાણી પાસે પહોંચતા પહેલા દુશ્મને રાજા બાઝ બહાદુરનો સામનો કરવો પડે.

આ મહેલમા વિશાળ આંગણા અને હોલ છે. અહીંથી માંડુનો મનોહર નજારો જોઇ શકાય છે. મહેલની વિશેષતા એ છે કે અહીના કેટલાક હોલ એવી રીતે બનાવવામા આવ્યા છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ ગીત ગાતો હોય તો બીજા હોલમા તે અવાજ પ્રિય થઈને ગીત સંભળાય છે.

જહાજ મહેલ :- રાજા અને રાણીના મહેલો ઉપરાંત માંડુમા જહાજ મહેલ પણ જોવા યોગ્ય છે. તે વહાણના આકારમા બનાવવામા આવ્યો છે અને તળાવમા તરતો દેખાય છે. હોશંગ શાહની સમાધિ અહી બનાવવામા આવી છે. માનવામા આવે છે કે તે ભારતની પ્રથમ આરસની કબર છે. એવુ પણ કહેવામા આવે છે કે શાહજહા એ આ સમાધિથી પ્રેરિત થઈને તાજમહેલ બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments