Homeજાણવા જેવુંજાણો એવા કિલ્લા વિષે કે જ્યાં આજે પણ એવો ચમત્કારિક પથ્થર છે...

જાણો એવા કિલ્લા વિષે કે જ્યાં આજે પણ એવો ચમત્કારિક પથ્થર છે કે તેને કોઈ પણ વસ્તુ અડે તો તે સુવર્ણ બની જાય છે.

પથ્થરનો સ્પર્શ લોખંડને પણ સોનુ બનાવી શકે છે. આ ચમત્કારિક પથ્થર એક કિલ્લામા હાજર છે.
ઘણા લોકો તેની શોધમાં પહોંચ્યા પણ તેમને આ પથ્થર મળ્યો નહિ. દુનિયામા આવી ઘણી ચમત્કારિક વસ્તુઓ છે જેના વિશે જાણીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. અમે તમને આવી જ એક ચમત્કારિક વાત વિશે જણાવીશુ જેના વિશે તમે ઘણી વાર્તાઓમા સાંભળ્યુ હશે પરંતુ તેનો વિશ્વાસ નઈ કર્યો હોય. આપણે જે ચમત્કારિક વાત કરી રહ્યા છીએ તે છે પારસમણી પથ્થર.

પારસમણી પથ્થર વિશે દાવો કરવામા આવે છે કે આ પથ્થર હજી પણ એક કિલ્લામા હાજર છે પરંતુ આજ સુધી કોઈ તેને શોધી શક્યુ નથી.પારસમણી પથ્થર એક ચમત્કારિક પથ્થર છે જેના સ્પર્શથી લોખંડ પણ સોનુ થઈ શકે છે. એવુ કહેવામા આવે છે કે જ્યા પારસમણી પથ્થર છે તે કિલ્લો ભોપાલથી ૫૦ કિમી દૂર એક ટેકરીની ટોચ પર સ્થિત છે.

આ કિલ્લાનુ નામ ત્યાના રાજા રાયસેનના નામ પરથી રાખવામા આવ્યુ છે અને લોકો તેને રાયસેનનો કિલ્લો કહે છે.
આ કિલ્લો ઈ.સ ૧૨૦૦ મા બનાવવામા આવ્યો હતો. કિલ્લાના રાજા રાયસેન પાસે આ ચમત્કારિક દાર્શનિકનો પથ્થર હતો. જેના કારણે ઘણી વખત રાજા રાયસેનનુ અન્ય રાજાઓ સાથે યુદ્ધ પણ થયુ હતુ.

રાજા રાયસેન એક યુદ્ધમા પરાજિત થયા અને તેને ડર હતો કે કદાચ આ પથ્થર કોઈના હાથમા ન આવે. રાજાએ પોતાના ગઢમા જ પારસમણી પથ્થર તળાવમા ફેંકી દીધો હતો. જે આજદિન સુધી કોઈને મળ્યો નથી. ઘણા લોકોએ તેને શોધવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ આ પત્થર તેમના હાથ લાગ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments