Homeધાર્મિકશુક્ર્વારેના દિવસે સંતોષી માતાનું વ્રત કરવાથી થશે માતા પ્રસંન અને થશે તમારી...

શુક્ર્વારેના દિવસે સંતોષી માતાનું વ્રત કરવાથી થશે માતા પ્રસંન અને થશે તમારી મનોકામના પુરી જાણો આ વ્રતની વિધિ વિશે…

શુક્રવારે માતા સંતોષીનું વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેવી સંતોષીને ગણેશની પુત્રી માનવામાં આવે છે. તેમની પૂજા કરીને અને શુક્રવારે ઉપવાસ કરીને, તેઓ બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પરંતુ તેનું વ્રત પુરી રીતે વિધિ-વિધાન અને નિયમોથી કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારે તેમના ક્રોધનો ભોગ બનવું પડે છે. ચાલો જાણીએ આપણે સંતોષી માના વ્રતની વિધિ અને નિયમ…

શુક્રવારે બ્રહ્મમુહુર્તામાં ઉઠીને પછી, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો તેમજ પૂજા ઘર અને આખા ઘરની સફાઈ કરો. તે પછી, મંદિરમાં અથવા પટારા પર મા સંતોષી માંની મૂર્તિ અથવા ફોટાનું સ્થાપન કરો. પછી બાજુમાં એક લોટીમાં પાણી ભરીને લ્યો અને એ પાણીમાં થોડો ગોળ પણ નાખો.માતા સંતોષીને પ્રસાદમાં ગોળ અને ચણા (દાળિયા) અર્પિત કરવામાં આવે છે. માતા સંતોષી સામે ઘીનો દીવો પ્રગટાવો. તે પછી માતાની વિધિવત પૂજા કરો અને માતાને ગોળનો પ્રસાદ ચડાવો, પછી વાર્તા વાંચો અથવા સાંભળો. પૂજા પૂર્ણ થયા બાદ પરિવારમાં પ્રસાદને વેચી દેવો. આ વ્રતનો સંકલ્પ કર્યા પછી, 16 શુક્રવાર સુધી ઉપવાસ કરવામાં આવે છે, અને ત્યારે પછી ઉજવણું કરવામાં આવે છે.

સંતોષી માના વ્રતમાં શુક્રવારેના દિવસે ખાવામાં ખાટ્ટી ચીજોનો ઉપયોગ જોઈએ નહિ. તેથી, શુક્રવારના દિવસે ભૂલથી પણ ખાટ્ટી વસ્તુઓ ખાશો નહિ. દયાન રાખો કે પરિવારમાં પણ કોઈ ખાટ્ટી ચીજ વસ્તુઓ ન ખાય તેની કાળજી રાખો. વ્રત કરતી વખતે વ્રત કરનારને પણ ગોળ અને ચણાનો પ્રસાદ લેવો જોઈએ. જે લોકોએ પ્રસાદ ખાધો છે, તેમણે પણ ખાટ્ટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ વ્રત કરવાથી વ્યક્તિ શિક્ષણ, કોર્ટરૂમ અને ધંધાને લગતી સમસ્યાઓથી મુક્તિ પણ મેળવે છે. પરંતુ આ વ્રતના નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments