Homeઅજબ-ગજબજાણો એવી શ્રાપિત ખુરશી વિષે કે જેની પર બેસતાની સાથે લોકો મૃત્યુ...

જાણો એવી શ્રાપિત ખુરશી વિષે કે જેની પર બેસતાની સાથે લોકો મૃત્યુ પામી જાય છે.

દેશ અને વિદેશમાં આવી ઘણી વસ્તુઓ છે જેને શાપિત માનવામા આવે છે. તેમાંથી એક થોમસ બસ્બીની ખુરશી છે. એવુ કહેવામા આવે છે કે આ ખુરશી એટલી ખરાબ છે કે જે પણ તેના પર બેસે છે તે જલ્દીથી મરી જાય છે.
ખરેખર આ ખુરશી ઇંગ્લેન્ડના સર્કસ મ્યુઝિયમમા રાખવામા આવી છે. તે જમીનથી લગભગ ૬ ફૂટની ઉચાઈ પર મૂકવામા આવી છે. કારણ કે ત્યાંના લોકોને ડર છે કે કોઈ અજાણતાં અથવા આકસ્મિક રીતે તેના પર બેશે નહી. એવુ કહેવામા આવે છે કે આ ખુરશી થોમસ બસ્બી નામના વ્યક્તિની છે. તેને આ ખુરશી ખૂબ ગમતી હતી.

એવુ કહેવામા આવે છે કે થોમસ આ ખુરશીને એટલો બધો પ્રેમ કરતો હતો કે કોઈ પણ વ્યક્તિ આ ખુરશી ઉપર બેસે તે પસંદ ન હતુ. તેના પરિવારના સભ્યો પણ તેના પર બેસી શકતા નહીં. પણ એક દિવસ તેના સસરા આ ખુરશી પર બેઠા. તેનાથી ગુસ્સે થઈને થોમસએ તેમની ખુરશીમા જ હત્યા કરી નાખી હતી. ત્યારથી આ ખરાબ માનવામા આવવા લાગી.

એવુ કહેવામા આવે છે કે ત્યારથી જે પણ વ્યક્તિ પણ આ ખુરશી પાસે પહોચીને તેના પર બેસવાનો પ્રયત્ન કર્યો તે થોડા દિવસોમા જ મરી જાય છે. આ ખુરશીને કારણે અત્યાર સુધીમાં લગભગ ૬૩ લોકોના મોત નીપજ્યા છે. ત્યારબાદ આ ખુરશી સંગ્રહાલયમા રાખવામા આવી છે. તેમ છતા મૃત્યુનુ રહસ્ય વૈજ્ઞાનિકો દ્વારા હલ કરવામા આવ્યુ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments