Homeજાણવા જેવુંશું તમે જાણો છો કે ચીન પછી વિશ્વની સૌથી લાંબી દીવાલ રાજસ્થાનના...

શું તમે જાણો છો કે ચીન પછી વિશ્વની સૌથી લાંબી દીવાલ રાજસ્થાનના ક્યાં કિલ્લામાં આવેલી છે.

રાજસ્થાનમા એક કિલ્લો છે જેની દિવાલ ચીનની મહાન દિવાલ પછી વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ છે. તેમાં કોઈ શંકા નથી કે જયપુર એક ખૂબ જ સુંદર શહેર છે જેની સુંદરતા જોવા માટે અહી દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. પરંતુ રાજસ્થાનનુ એક બીજુ શહેર છે જેને જોયા વગર રાજસ્થાનની સુંદરતા અને રાજાશાહીનો અદાજ લગવવો મુશ્કેલ છે. અમે અહી ઉદેપુરની વાત કરી રહ્યા છીએ. જો તમે રાજસ્થાનની સફર પર છો તો ઉદયપુર જયપુરથી થોડે દૂર સ્થિત છે.

ઉદયપુરમા આવા સ્થળોની કોઈ અછત નથી જેને તમે ફરીથી અને ફરીથી જોવા માંગતા હો પરંતુ તે પછી પણ અહી કેટલીક જગ્યાઓ છે કે એકવાર જોયા પછી પણ તમે ફરીથી ઉદીપુર આવી જગ્યા જોવા માટે આવો છો. ઉદયપુરના પ્રખ્યાત સ્થળોમાં સિટી પેલેસ, તળાવ પીલોકા, લેક પેલેસ, મોનસુન પેલેસ, જગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

અહીથી થોડે દૂર એક કિલ્લો આવેલ છે જેની દીવાલ ચીનની ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પછી વર્લ્ડની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ છે. તો ચાલો તમને જણાવીએ કે આ કિલ્લા વિશે જેની દિવાલની ચર્ચા દુનિયાભરમા છે.

કુંભલગઢનો કિલ્લો :- ઉદયપુરથી ૭૦ કિલોમીટર દૂર સ્થિત કુંભલગઢ કિલ્લો મેવાડના યશશ્વી મહારાણા કુંભની પ્રતિભાનુ સ્મારક છે. કુંભલગઢનો કિલ્લો ભારતના તમામ કિલ્લાઓમા એક વિશેષ સ્થાન ધરાવે છે. તેમજ વિશ્વભરના પ્રવાસીઓ તેની ભવ્યતા જોવા માટે આવે છે. કુંભલગઢના કિલ્લાને અજયગઢ પણ કહેવામા આવે છે કારણકે આ કિલ્લા ઉપર વિજય મેળવવો ખુબ જ મુશ્કેલ છે.

તમને જણાવી દઈએ કે મહારાણા પ્રતાપનુ જન્મસ્થળ કુંભલગઢ એક રીતે મેવાડની કટોકટીની રાજધાની રહી છે. મહારાણા કુમ્ભાથી લઈને મહારાણા રાજસિંહના સમય દરમિયાન મેવાડ પરના આક્રમણ દરમિયાન રાજ પરિવાર આ વિસ્તારમા રહેતા હતા. કુંભલગઢ કિલ્લામા મહારાણા ઉદયસિંહને પાન્ના ઘાય દ્વારા છુપાવીને પાલન પોષણ કર્યું હતુ. તેમજ પૃથ્વીરાજ અને મહારાણા સાગાનુ બાળપણ પણ અહી વીત્યુ હતુ.

કુંભલગઢ કિલ્લાની વિશેષતા :– તેની આસપાસ એક મોટી દિવાલ બનાવવામાં આવી છે જે ચીનની દિવાલ પછીની બીજી સૌથી મોટી દિવાલ છે. અહી અમે ચીનની ગ્રેટ વોલ વિશે વાત કરી રહ્યા છીએ જે વિશ્વની સાત અજાયબીઓમાંનુ એક છે. ગ્રેટ વોલ ઓફ ચાઇના વર્ષ ૧૯૭૦ મા સામાન્ય પ્રવાસીઓ માટે ખોલવામા આવી હતી. સમ્રાટ અશોકના પુત્ર સંપ્રતિ દ્વારા આ કિલ્લાનુ નિર્માણ ૧૪૪૩મા શરુ થયુ હતુ જેનુ કામકાજ ૧૫ વર્ષ સુધી ચાલ્યુ હતુ જે ૧૪૫૮ મા પૂર્ણ થયુ હતુ.

આ કિલ્લો ઘણી ખીણો અને ટેકરીઓ જોડીને બનાવવામા આવ્યો છે અને આ કિલ્લામા મહેલો, મંદિરો, રહેણાંક મકાનો બનાવવામા આવ્યા હતા.આ ઉપરાંત તેની સપાટ જમીનનો ઉપયોગ કૃષિ કાર્ય માટે કરવામા આવતો હતા. ઢાળવાળા ભાગોના ઉપયોગ જળાશયો માટે કરવામા આવતો હતો.

આ કિલ્લાની અંદર બીજો ગઢ છે જે કટારગઢ તરીકે ઓળખાય છે. આ ગઢ સાત વિશાળ દરવાજા દ્વારા સુરક્ષિત છે. આ ગઢનો ટોચના ભાગ પર બાદલ મહેલ છે અને કુમ્ભા મહેલ સૌથી ઉપર છે. આ કિલ્લાના નિર્માણ કાર્ય સમાપ્ત થયા પછી મહારાણા કુંભે સિક્કા નંખાવ્યો હતો જેના ઉપર જેના પર કિલ્લાનુ નામ લખેલુ હતુ. આ કિલ્લામા પ્રવેશ દરવાજા, જળાશયો, બહાર નીકળવાના દરવાજા, મહેલો, મંદિરો, રહેણાંક મકાનો વગેરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments