Homeઅજબ-ગજબજાણો એવા ૫ રહસ્યો વિષે કે જેના વિષે વૈજ્ઞાનિકો પણ અજાણ છે...

જાણો એવા ૫ રહસ્યો વિષે કે જેના વિષે વૈજ્ઞાનિકો પણ અજાણ છે અને તેને હલ નથી કરી શક્યા.

પ્રકૃતિનો કરિશ્મા આજે પણ પૃથ્વી પર ઘણા સ્થળોએ જોવા મળે છે. તે પછી વૈજ્ઞાનિકો પણ આ સ્થાનોના રહસ્યો વિશે જાણી શક્યા નથી. આજે અમે તમને દુનિયાના આવા ૫ સ્થાનો વિશે જણાવીશુ જેની સત્યતા તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

૧) ૧૯૩૦ મા નિષ્ણાતોએ ગાઢ જંગલમા ૧૬ ટન વજનવાળા પથ્થરોની શોધ કરી. તેઓ આકારમા ગોળાકાર છે. આ પથ્થરો હાથથી બનાવવામા આવેલ છે. નાના પથ્થરનો આકાર ટેનિસ બોલ જેવો છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા ગાઢ અને નિર્જન જંગલમાં કોણે બનાવ્યુ હશે? આજદિન સુધી આ જાણી શકાયુ નથી.

૨) જો કે ઘણા વ્યક્તિની ઉમર ૧૦૦ અથવા ૧૧૫ વર્ષ સુધીની છે. સામાન્ય રીતે લોકો ૬૫ થી ૭૦ વર્ષની વચ્ચે દુનિયા છોડી દે છે. પરંતુ લી ચિંગ યુએન નામના વ્યક્તિ વિશે એવું કહેવામાં આવે છે કે તે ૨૫૬ વર્ષની વય સુધી જીવંત રહ્યા હતા. લિ નામના ચિની ચિકિત્સાના વિદ્વાન હતા. એવુ કહેવામા આવે છે કે તેઓ ૨૦૦ વર્ષની વય સુધી યુનિવર્સિટીમા પ્રવચનો આપવા જતા હતા. તેની ઉંમર આજે પણ એક રહસ્ય જ રહ્યુ છે.

3) ચક્રવાતી તોફાન જેવો આકાર વિશ્વમા ઘણા જુદા-જુદા સ્વરૂપે જોવા મળ્યા છે. પરંતુ તે બરાબર બધી જગ્યાએ કોણ બનાવી શકે છે તે વાતનો ખુલાસો હજી સુધી નથી થયો. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ તેઓ કેટલીક કુદરતી આફતને કારણે બને છે. તે જ સમયે કેટલાક લોકો માને છે કે આ કાર્ય એલિયન્સનુ છે.

૪) એક રહસ્યમય પ્રાણી સ્કોટલેન્ડના ૨૦૦ મીટર ઉંડા તળાવમા જોવા મળ્યુ હતુ. ૧૯૩૪ મા લંડનમા એક ડોકટરે તેને પોતાના કેમેરામા કેદ કર્યું હતુ. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પ્રાણી એવા સમયે હાજર હતુ ત્યારે ત્યા મનુષ્યનુ અસ્તિત્વ પણ નહોતુ. પાછળથી તેઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા હતા.

૫) કેન્યાના રુડોલ્ફ તળાવ પાસેનો ટાપુ પણ એકદમ રહસ્યમય છે. તેને ‘નોટ રીટર્ન’ આઇલેન્ડ કહે છે. એવુ કહેવામા આવે છે કે ઘણા વર્ષો પહેલા લોકો અહીં રહેતા હતા. પરંતુ એક દિવસ તે બધા અચાનક ગાયબ થઈ ગયા. તેનુ સરનામુ આજદિન સુધી જાણી શકાયુ નથી તેથી લોકો અહી જતા ડરી ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments