કોઈ વ્યક્તિ જે ખાય છે તેને ડાયજેસ્ટ કર્યા પછી લિવર તેમા રહેલા પોષકતત્વો આખા શરીરમા પહોંચાડવાનુ કામ કરે છે. આ અંગ શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે. સાથે-સાથે શરીરમા આલ્બ્યુમીન પ્રોટીન અને લોહીના ગંઠન બનવાવાળા તત્વોના નિર્માણમા મદદગાર છે. લિવર વિના શરીરમા રક્ત પરિભ્રમણ શક્ય નથી. તબીબી રીતે તેને શરીરનુ પાવર હાઉસ કહેવામા આવે છે.
દારૂ પીનારા અને ધૂમ્રપાન કરનારાઓને આ રોગનુ વધુ જોખમ હોય છે. ટાઇપ -૨ ડાયાબિટીસના દર્દીઓ જેમના શરીરમા કોલેસ્ટરોલનુ પ્રમાણ વધારે છે અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને જાજી માત્રામા તળેલુ ખાવા વાળા લોકોને આ ગંભીર બીમારીનો ભોગ બને છે.
કારણ :- જેનુ વજન વધારે છે તેની મુશ્કેલી વધી શકે છે. દારૂ પીનારા અથવા જે લોકો લાંબા સમયથી કેન્સરની દવા પર છે તેમને મેટાબોલિક સિન્ડ્રોમની ફરિયાદ હોય શકે છે. આને કારણે શરીરમા ઇન્સ્યુલિન બનતુ અટકી જાય છે, જે ડાયાબિટીઝ, હ્રદયરોગ અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓનુ કારણ બને છે.
સારવાર :- સારવાર કારણ ઉપર આધારિત છે. સંતુલિત અને પોષક આહાર લો. હળવા ભોજન સાથે સલાડ ખાવ. વિટામિન-ઇ અને સી થી સમૃદ્ધ વસ્તુઓ લીવરને સ્વસ્થ રાખે છે. પ્રો-બાયોટિક્સ (હેલ્ધી બેક્ટેરિયા) ખોરાકમા લો જે દહીંમા દવા તરીકે હાજર હોય છે. બાળકને જન્મથી જ હિપેટાઇટિસની રસી અપાવો.
આયુર્વેદિક સારવાર :- લીવરને યોગ્ય રાખવા માટે સુપાચ્ય ખોરાક લો. લિંબુનું શરબત, છાશ, નાળિયેર પાણી, દાડમ, સફરજન અને અન્ય ફળો જેવા પ્રવાહી ખાવાથી પેટ ફીટ રહે છે. ગિલોય, એલોવેરા, કાલમેઘ, ચિરિત્ય, ભૃણરાજ, કારેલાનો રસ, આમળા પાવડર નિયમિત લેવાથી પેટની સમસ્યા થતી નથી. ગંભીર સ્થિતિમા આ પાવડર ખાયને પેટ સાફ કરી શકાય છે.
હોમિયોપેથીક દવા :– ફોસ્ફરસ, કેલસીઆની દવા દર્દીને લક્ષણો પ્રમાણે આપવામા આવે છે. અતિશય પીવાના કારણે જેમને ફેટી લીવરની તકલીફ હોય છે તેમને નક્સવોમિકા દવા આપવામા આવે છે. બીજી બાજુ જો ફેટી લીવરમા ગેસની સમસ્યા હોય તો લાઇકોપોડિયમ દવા રાહત આપે છે. ચરબીયુક્ત લિવર દર્દીઓએ આહાર પર વિશેષ ધ્યાન આપી નિયમિત કસરત કરવાની સલાહ આપવામા આવે છે.
લીવરમાં ચરબી વધવાના લક્ષણો :-
– લીવરમા ચરબી વધવાથી અંગનુ કદ વધે છે. આ કારણોસર, ઉત્સેચકોની માત્રામા વધારો થવાથી લિવરની ક્ષમતાને અસર થાય છે. લાક્ષણિક રીતે, ચરબીયુક્ત યકૃતના કોઈ ખાસ લક્ષણો નથી પરંતુ જ્યારે યકૃતમા ૩૦-૪૦% ચરબી એકઠી થાય છે તો પછી ભૂખમાં ઘટાડો, ગભરાટ, વજનમા ઘટાડો, ઉપલા પેટમા દુખાવો થાય છે.
– ગંભીર કેસોમા કમળો, યકૃતના સંકોચન અને યકૃત સિરહોસિસની સંભાવના વધવાની સંભાવના છે. જ્યારે વધારે ચરબી એકઠી થાય છે ત્યારે પેટમા પાણી ભરાવાથી શરીરમા સોજો આવે છે જે મગજને અસર કરે છે. આ ગંભીર સ્થિતિ યકૃતની નિષ્ફળતા છે. જેમા લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે.