આધ્યાત્મિકતા એ કોઈ પણ ધર્મનો પર્યાય નથી. આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. વ્યક્તિ ગમે તે માર્ગે પસાર થાય પરંતુ બધાનુ લક્ષ્ય સમાન હોય છે. પરંતુ આજની ભાગદોડવાળી જિંદગીમા દરેક વ્યક્તિ એટલા ફસાઇ જાય છે કે પોતાની પાસે પોતાની જાતથીપરિચિત થવા માટે અથવા તેની અંદરની ક્ષમતાઓને ઓળખવાનો સમય નથી અને કદાચ તેથી જ તે વ્યક્તિને બધું મળ્યા પછી પણ પોતાના મનમા એક વિચિત્ર નિરાશા હોય છે. જો તમે પણ જીવનના ધસારાથી કંટાળી ગયા છો અને થોડા સમય માટે આધ્યાત્મિક શાંતિ ઇચ્છતા હો તો પછી તમે ભારતમા ઉપસ્થિત આ આશ્રમોમા જઈ શકો છો.
ભારત હંમેશા આધ્યાત્મિક સાધકો સાથે એક લોકપ્રિય સ્થળ રહ્યુ છે જે દેશમા ઘણા આશ્રમોમા ભ્રમણ કરે છે. અહી હાજર દરેક આશ્રમની પોતાની વિશેષતા છે અને તેથી જ સાધકો જ નહી સામાન્ય લોકો પણ માનસિક શાંતિ મેળવવા અહી આવે છે. તો આજે અમે તમને ભારતના કેટલાક લોકપ્રિય આશ્રમો વિશે જણાવી રહ્યા છીએ.
૧) આર્ટ ઓફ લિવિંગ આશ્રમ :- શ્રી શ્રી રવિશંકર દ્વારા ૧૯૮૨ મા સ્થાપિત, આર્ટ ઓફ લિવિંગ આશ્રમ તાણમુક્તિ અને સ્વ-વિકાસ કાર્યક્રમો માટે વિશ્વભરમા જાણીતુ છે. અહી મુખ્યત્વે શ્વાસની તકનીકીઓ, ધ્યાન અને યોગ ઉપર ભાર મુકવામા આવે છે. આર્ટ ઓફ લિવિંગના ઘણા નાના આશ્રમો દેશભરમા હાજર હોવા છતા આ આશ્રમ મુખ્યત્વે બેંગ્લોરથી દક્ષિણ-પશ્ચિમમા ૩૬ કિલોમીટર દુર ઉડીપલ્યા ગામની નજીક પંચગિરી ટેકરીઓમા સ્થિત છે.
૨) ઇશા ફાઉન્ડેશન :- તમિલનાડુમા વેલીયાગિરી પર્વતની તળેટી સ્થિત ઇશા યોગ કેન્દ્ર સંગઠન છે. જેની સ્થાપના ૧૯૯૨ માં સ્થસદગુરુ જગ્ગી વાસુદેવે કરી હતી. તેનો હેતુ પર્યાવરણીય કાયાકલ્પ જેવા યોગ અને આઉટડોર પ્રોગ્રામ્સ દ્વારા લોકોની આધ્યાત્મિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનુ છે. અહી ૩-૭ દિવસનો પ્રોગ્રામ ઇનર એન્જિનિયરિંગ તરીકે ઓળખાય છે જેમા એક ધ્યાનથી પોતાની અંદરની શક્તિ અને ઉર્જા અનુભવાય છે.
૩) માતા અમૃતાનંદમયી આશ્રમ :- માતા અમૃતાનંદમયી આશ્રમ કેરળના કોલલામમા છે. તે ત્રિવેન્દ્રમથી ૧૧૦ કિલોમીટર ઉત્તરમા સ્થિત છે. માતા અમૃતાનંદમયી અમ્માના નામથી પણ જાણીતા છે. તે વિશ્વમા પ્રેમ અને કરુણાના અભાવને દૂર કરવા માટે તેનુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
જો તમારા મનમા કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે તો પછી તમે બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે સવારે આશરે ૧૦ વાગ્યે આશ્રમમા અમ્માને મળી શકો છો અને તમારી મૂંઝવણને દૂર કરી શકો છો. એમતો અહિયા યોગ, ધ્યાન અને પ્રાણાયામ વગેરેનો અભ્યાસ કરાવવામા આવે છે.
૪) શ્રી અરબિંદો આશ્રમ :- શ્રી અરબિંદો આશ્રમની સ્થાપના ૧૯૨૬ મા શ્રી અરબિંદો મધર નામથી ઓળખાતી એક ફ્રેન્ચ મહિલા દ્વારા કરવામા આવી હતી. શ્રી અરબિંદો આશ્રમ હજારો સભ્યો સાથે વૈવિધ્યસભર સમુદાયમા વિકસ્યો છે. આશ્રમ પોંડીચેરીમા ચેન્નાઈથી ૧૬૦ કિલોમીટર દક્ષિણમા સ્થિત છે. અહી જૂથોમા ધ્યાનનુ આયોજન કરવામ આવે છે. જો કે અહી કોઈ સૂચિત પ્રથાઓ અને ઠરાવો અનુસરવાના હોતા નથી. ધ્યાન કરવુ એ અહીનો મુખ્ય ઉદેશ્ય છે.