Homeહેલ્થશું તમે માથાના દુખાવાથી છૂટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ ઘરેલું...

શું તમે માથાના દુખાવાથી છૂટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય .

આજના સમયમાં માથાનો દુખાવો એ સામાન્ય બાબત છે. માથાના દુખાવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. માથાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો દવાઓ લેવાનું ચાલુ કરે છે, પરંતુ વધુ પ્રમાણમાં દવા લેવાથી તે આરોગ્ય માટે નુકસાનકારક છે. માથાનો દુખાવો દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકાય છે. આવા ઘરેલું ઉપાયથી માથાના દુખાવા જેવી સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ ઘરેલું ઉપાય કરવાથી આરામ મળે છે.

જાયફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માથાનો દુખાવો દૂર કરવા માટે ગરમ પાણીમાં જાયફળના પાવડરનું મિશ્રણ કરીને પીવો.આ મિશ્રણને પીવાથી તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

માથાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લવિંગ અને નાળિયેર તેલનું મિશ્રણ કરીને માથા પર લગાવો. આ મિશ્રણને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દુર થાય છે.

માથાના દુખાવાને દૂર કરવા માટે આદુ અને લીંબુનો રસ પીવો જોઈએ. આદુ અને લીંબુનો રસ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. આદુ અને લીંબુના રસને દિવસમાં બે થી ત્રણ વાર પીવો જોઈએ છે.

તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માથાનો દુખાવો દૂર કરવા માટે તુલસીના પાનને ચંદનના પાવડર સાથે મિશ્રણ કરીને માથા પર લગાવો. આ મિશ્રણને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દુર થાય છે.

લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માથાનો દુખાવો દૂર કરવા માટે, તવામાં ચાર-પાંચ લવિંગ શેકીને કપડામાં બાંધી લો. તેને કપડામાં બાંધ્યા પછી લવિંગને થોડા થોડા સમયે સુંઘો. લવિંગ સુંઘવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

માથાનો દુખાવો દૂર કરવા માટે માથા પર નાળિયેરના તેલની માલિશ કરો. નાળિયેરના તેલની માલિશ કરવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. સતત અવાજના કારણે પણ માથાનો દુખાવો થાય છે. જો તમને સતત માથાનો દુખાવો થતો હોય, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે .

માથાના દુખાવાના દર્દીઓએ ગાજરનો રસ પીવો જોઈએ. ગાજરનો રસ પીવાથી માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે. ગાજરનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments