આપણામાંના કેટલાક લોકો જાણે છે કે માનવીના મૃત્યુ પછી શરીર પર એક વિશેષ પ્રકારનો લેપ લગાવવો પડે છે. હવે સવાલ એ આવે છે કે તેને લગાવવા પાછળનુ કારણ શું છે? આ લેપ શેનાથી બનેલ છે? તેને શું કહે છે? અમે આ બધા પ્રશ્નોના જવાબ આપીશુ જેથી તમને પણ તેના વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે.
સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે આ લેપને કોટિંગ એમ્બેલિંગ ફ્લુઇડ તરીકે ઓળખાય છે. તે વિવિધ રસાયણો અને જીવાણુ નાશકોથી બનાવવામા આવે છે. ઘણી વખત એવુ બને છે કે મૃત્યુ પછી કોઈ કારણોસર મૃત વ્યક્તિને લાંબા સમય સુધી રાખવી પડે છે આ સ્થિતિમાં શરીરને સડતા અટકાવવા માટે આ લેપ શરીર પર લગાવવામા આવે છે.
આ વિશેષ રચનાથી બનેલ લેપ શરીરને વિઘટિત થતા અટકાવે છે. એમ્બામીગ લેપને બનાવવા માટે ફોર્માલ્ડીહાઇડ, ગ્લુટેરાલ્ડીહાઇડ, મેથેનોલ અને અન્ય ઘણા સોલવન્ટ્સનો ઉપયોગ થાય છે. મિથેનોલનો ઉપયોગ સામાન્ય રીતે કરવામા આવે છે. આ સોલ્યુશન તૈયાર કર્યા પછી આખા શરીર પર લગાવવામા આવે છે.
શરીર પર લગાવ્યા પછી તરત જ ત્વચામા હાજર પ્રોટીન તૂટી જાય છે અને બેક્ટેરિયાને ખોરાક બનાવતા અટકાવે છે. પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે લેપ ત્યાર કરવામા ડીસઈમ્ફેકટેટનો ઉપયોગ કરવામા આવે છે જે ત્વચામા હાજર બેક્ટેરિયાને મારી નાખે છે. આ શરીરને લાંબા ગાળાના નુકસાનથી બચાવી શકે છે.ઉપલબ્ધ વધારાના સમયનો ઉપયોગ તપાસ કરવા માટે, પુરાવા એકત્રિત કરવા માટે કરવામાં આવે છે જેથી સત્યની વહેલી તકે તપાસ થઈ શકે.