Homeલેખજાણો, નમસ્કાર અને સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા અને મહત્વ...

જાણો, નમસ્કાર અને સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા અને મહત્વ…

આજકાલ સૂર્ય નમસ્કારની કરવાની ટેવ બદલાઈ રહી છે, આવી સ્થિતમાં આપણે બાળકોને સૂર્ય નમસ્કાર શીખવી શકતા નથી. તેથી એ જાણવું જરૂરી છે કે, સૂર્ય નમસ્કાર ક્યારે, કેમ અને કેવી રીતે કરવા. પહેલાના સમયમાં સૂર્ય નમસ્કારની વિશેષ પ્રથા હતી, જેના કારણે લગભગ દરેક લોકો સ્વસ્થ રહેતા હતા.જ્યારે ઘરે કોઈ મહેમાન આવે, ત્યારે તેના માટે કંઈક ખાવા-પીવાનું બનાવવું આવશ્યક છે. મહેમાન માટે જે બનાવવામાં આવે છે, તે મહેમાનની સાથે કુટુંબના સભ્યો પણ ખાય છે. આવા ખોરાકને પચાવવા માટે સૂર્ય નમસ્કાર કરવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. આમ તો દૈનિક રૂટીનમાં આપણે ફક્ત સાત્વિક અને હળવા ખોરાક જ ખાઈએ છીએ.

સૂર્ય નમસ્કાર કરવાથી આપણો અહંકાર નષ્ટ થઈ જાય છે. સૂર્ય નમસ્કાર કરવાથી વિનય અને નમ્રતાના ગુણનો વિકાસ થાય છે અને મન શુદ્ધ થાય છે. તેથી આપણે દરોરોજ સવારે ઉઠીને પહેલા સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. વડીલોને પ્રણામ અથવા ચરણ સ્પર્શ કરવાથી ઉંમર, સન્માન, બુદ્ધિ અને શુભ કાર્યોમાં વૃદ્ધિ થાય છે.

સંતો-મહાત્માના દર્શન અને ચરણ સ્પર્શથી ત્રણ જન્મના પાપોનો નાશ થાય છે. સંત-મહાત્માઓએ જે જ્ઞાનને સખત મહેનત અને બલિદાન દ્વારા પ્રાપ્ત કર્યું હોય, તે જ્ઞાનને તેઓ ખુલ્લા હૃદયથી આપવા તૈયાર હોય છે. જ્યારે તેનું જ્ઞાન કોઈ લે, તો તે ખુશ થાય છે. જે રીતે દુકાનદારનો બધો જ માલ વેચાઈ જાય, તો તે ખુશ થાય છે. સંત-મહાત્મા વિશ્વના કલ્યાણથી પ્રસન્ન થાય છે.

સૂર્ય નમસ્કાર યોગ અને પ્રકૃતિક ઉપચાર સાથે પણ સંકળાયેલ છે. સૂર્યના પ્રકાશથી સ્વાસ્થ્યને અભૂતપૂર્વ લાભ થાય છે અને બુદ્ધિમાં વધારો થાય છે. સૂર્ય નમસ્કારના મુખ્યત્વે આસન હસ્તપદાસન, પ્રસરણાસન, દ્વિપદ, ભુ-ધરાસન, અષ્ટાંગ, પ્રવિધાતાસન અને સર્પાસન છે.

સૂર્ય પ્રકાશમાં સૂર્ય નમસ્કાર કરવાથી રક્તપિત્ત અને આંખના રોગો દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય બધા ગ્રહો અને નક્ષત્રોનો સ્થાપક છે અને તે સમયનો નિયંત્રક છે.

તમે બીજા કોઈને નમસ્કાર કરો કે ન કરો, પરંતુ દરરોજ સવારે એકવાર સૂર્ય નમસ્કાર ફરજિયાત કરો, કારણ કે સૂર્ય નમસ્કાર એ જ પ્રણામ છે. આ કરવાથી, મનુષ્ય તંદુરસ્ત, વૈભવશાળી, કાર્યક્ષમતાવાન, જીવનભર અને પ્રતિભાશાળી થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments