Homeઅજબ-ગજબવિશ્વના આ જીવલેણ ફૂલો, ફળો અને છોડ, જેનાથી એક જ ક્ષણમાં થાય...

વિશ્વના આ જીવલેણ ફૂલો, ફળો અને છોડ, જેનાથી એક જ ક્ષણમાં થાય છે મૃત્યુ.

વર્ષ 2014 માં, બ્રિટનમાં મોટા ખેતરની દેખરેખ કરનાર માળીનું અચાનક અવસાન થયું. તેના શરીરના ઘણા અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા. તેનું મૃત્યુ કેમ થયુ હતું તેની કોઈ ખબર ન હતી, પરંતુ સુનાવણી દરમિયાન પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે તેનું મૃત્યુ ફૂલોનું એક લોકપ્રિય છોડ દ્વારા થયું હતું. આ ફૂલોના છોડનું નામ ‘એકોનિટમ’ છે. તેના ખીલેલા ફૂલના ઘણા નામ છે જેમ કે – વરુનો દુશ્મન, શેતાનની હેલ્મેટ, ઝેરની રાણી. આ નામોથી તેની વિશિષ્ટતાનો અંદાજ લગાવવામાં આવતો હતો.એકોનિટમ એ વિશ્વનો સૌથી ખતરનાક છોડ છે કારણ કે તે હૃદયના ધબકારાને ધીમો પાડે છે જેનાથી વ્યક્તિઓનું મૃત્યુ થાય છે.

તેનો સૌથી ઝેરીલો ભાગ તેનું મૂળ હોય છે, પરંતુ પાંદડામાં પણ ઝેર હોય છે. જે મગજને અસર કરે છે. તેનાથી ત્વચા પણ સુકાય જાય છે. જ્યારે આ ફૂલો, પાંદડા અથવા તેના મૂળ ત્વચા સાથે જોડાય આવે છે, ત્યાં કળતર થવા લાગે છે. જો તે ભૂલથી ખાવામાં આવે તો, ઉલટી અને ઝાડા ચાલુ થાય છે.

રોબટસન કહે છે કે “મેં તે લોકો સાથે વાત કરી હતી કે જે લોકો તે ખાધા પછી પણ જીવંત હતા. એક વ્યક્તિએ ભૂલથી તેના પાંદડાને સાલતમાં નાખી દીધા હતા. 24 કલાક સુધી તેમની હાલત ખૂબ જ ખરાબ હતી પરંતુ તે બંને બચી ગયા હતા. આ ઝેર અથવા ઝેર તેમના રક્ષણ માટે છોડમાં વિકસિત થયા છે. આ કારણોસર આ છોડ જંતુઓ અને પ્રાણીઓથી પોતાનો બચાવ કરી શકે છે.

એવો જ એક છોડ છે ‘હોગવીડ’. જો તે વ્યક્તિની ત્વચા સાથે જોડાય અને પછી તે સૂર્યપ્રકાશ પર પ્રતિક્રિયા આપે તો તે ત્વચાને બળતરા કરવાનું શરૂ કરે છે. જો કે, ગાજર અને લીંબુના છોડમાં પણ આ જ ગુણ હોય છે અને નબળી સ્થિતિમાં આ છોડ ત્વચાને નુકશાન પહોચાડે છે.

એ જ રીતે, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગમાં, એટલે કે ફ્લોરિડા અને કેરેબિયન ટાપુઓમાં પણ જોવા મળતો આ છોડને સ્પર્શ કરવો જોખમી માનવામાં આવે છે. તેને વિશ્વનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. તેની આસપાસ એક ચેતવણીની નિશાનીનું બોર્ડ પણ મારવામાં આવે છે. આ છોડ નીચે વરસાદમાં ઉભું રહેવું પણ જોખમી હોઈ છે. તેના પાંદડાઓ પરથી પડતું પાણી ત્વચાને પણ મોટું નુકસાન પહોંચાડે છે. આ છોડને બાળવો પણ જોખમી છે. તેના ધુવાડાના સંપકમાં આવવાથી આંખની રોશની અને શ્વાસની સમસ્યા પણ થાય છે.

મેનકીનીલ છોડની અસર સારી નથી, પરંતુ તેના સંપર્કમાં આવવાથી તમારું મૃત્યુ થશે નહીં, પરંતુ જો આ છોડના નાના ફળને ખાય લે, તો મૃત્યુનું જોખમ હોઈ શકે છે. આ ફળનું નામ ‘સ્પેનિશ’ છે. આ ફળ ખાવાથી ઉલટી અને ઝાડા થતાં આખા શરીરમાંથી પાણી નીકળી જાય છે અને મૃત્યુ થાય છે.

રિકિનસ કોમુનીસનો છોડ પણ ખૂબ જોખમી છે. આ છોડના બીજમાંથી જ એરંડા તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ છોડનું વેજ્ઞાનિક નામ ‘રાઈસીન’ છે. તે માટે એરંડાના છોડને વિશ્વનો સૌથી ઝેરીલો છોડ માનવામાં આવે છે. તેના બીજમાંથી તેલ કાઢી લીધા પછી, બાકીના ભાગમાં પણ ઝેર હોય છે. રાઈસીન મેટાબોલીજ્મ કોષોનો નાશ કરે છે. આ કોષો જીવન માટે જરૂરી છે. તેનાથી ઉલટી અને ઝાડા થઈ શકે છે અને એક અઠવાડિયાની અંદર અંગ કામ કરવાનું બંધ કરે છે અને મૃત્યુ થાય છે.

જોન રોબટસન કહે છે કે, સરળતાથી કહી કહી શકાય છે કે, કયો છોડ ઝેરી છે, તેમાં કયા ઝેર છે અને તેનાથી શું થઈ શકે છે? પરંતુ જો તમે તેને ખાવા માંગતા હોય તો જ તે નુકસાનકારક છે. ‘એરંડાનું બીજ શરીરમાં પચતું નથી અને જો ગળી જાય તો તે શરીરને વધારે નુકસાન પહોંચાડયા વગર જ બહાર નીકળી જાય છે. પરંતુ જો તેના પાંચ બીજ ચાવી ગયા પછી પેટમાં પહોંચી જાય તો તે જીવલેણ સાબિત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments